Western Times News

Gujarati News

માહિતી નિયામકની કચેરીના કર્મયોગીઓને ‘તિરંગા’નું વિતરણ કરાયું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં આઝાદીના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તા. ૦૮થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ યોજાઇ રહ્યું છે.

નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને તેવા ઉદ્દેશ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં  ‘હર ઘર તિરંગા અભિયાન’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના ભાગરૂપે માહિતી નિયામકની કચેરીજૂના સચિવાલયગાંધીનગર ખાતે આજે સન્માન સાથે તિરંગો લહેરાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત કર્મયોગીઓ પોતાના ઘરે પણ સન્માન સાથે તિરંગો‘ લહેરાવી શકે તે માટે કચેરીમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.