Western Times News

Gujarati News

અમદાવાદની સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીના જીવન કવન ઉપર રેલીનું આયોજન

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ -૨૦૨૪ ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ અભિયાન  અંતર્ગત તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રવાદી ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.  આ ઉજવણી અંતર્ગત કેશવનગર ગુજરાતી શાળા નંબર ૧ અને ૨  વિદ્યાર્થીઓ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીના જીવન કવન ઉપર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ આ રેલીમાં વિદ્યાર્થીઓએ વિવિધ વેશભૂષા થકી  ભાગ લીધો હતો.

આ ઉપરાંત શાળામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રંગોલી સ્પર્ધા, તિરંગાના મહત્ત્વ પર વકૃત્વ સ્પર્ધા તેમજ તિરંગાને લગતાં ગીતો ગાવાની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકો તેમજ સ્ટાફે ઉત્સાહપૂર્વકપૂર્વક ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.