Western Times News

Gujarati News

સંપાદિત થયેલી જમીનોના અસરગ્રસ્તોની ભરૂચ કલેકટર કચેરીએ રજૂઆત

ભરૂચના ભાડભૂત બેરેજ ડાબાકાંઠા પૂર સંરક્ષણ યોજનામાં જમીનોનું યોગ્ય વળતર ન મળ્યું હોવાની ફરિયાદ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના ભાડભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ યોજનામાં સંપાદિત થતી જમીનોના યોગ્ય વળતર મેળવવાની માગ સાથે સોમવારના રોજ મોટી સંખ્યામાં મહિલાઓએ જમીન વળતરની માગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી મૌખિક રજૂઆતો કરી હતી.

ભરૂચના ભાડભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ યોજનામાં જમીન ગુમાવનાર ગામની વિધવા મહિલાઓએ સોમવારના રોજ કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.આ મહિલાઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભાડભૂત બેરેજ ડાબા કાંઠા સંરક્ષણ યોજનામાં સંપાદિત થતાં વિધવા બહેનો જે અમારી જમીનોમાં જાત મહેનત કરીને અમારું ગુજરાન ચલાવી રહ્યા છીએ.

અને અમારી આજીવિકાનું એકમાત્ર સાધન ખેતી હોય તેવા સમયે અમારી જમીનોનું વળતર છેલ્લા ત્રણ વર્ષથી કોઈપણ કારણ વગર જાહેરનામાની મુદ્દત લંબાવી અમોને કેટલું વળતર આપવામાં આવશે તે આજ દિન સુધી જણાવ્યું નથી.આ વિધવા બહેનોની સાથે અન્ય ખેડૂતો પણ અસરગ્રસ્ત હોય તેઓને છેલ્લા ત્રણ વર્ષથી માનસિક રીતે હેરાન થતા હોય અને અમારું શું થશે અને અમારું જીવન કેવી રીતે જીવવું?

કેમ કે સરકાર અને વહીવટી તંત્ર શું આપશે કે વહીવટી તંત્રએ અમોને કાંઈપણ આપવું નથી એવી મનોદશામાં જીવન ગુજારીએ છીએ.અમોએ દરેક જાહેરનામાના જવાબો રજુ કર્યા છે.

એના આજ દિન સુધી કોઈ પણ જવાબો આપવામાં આવેલ નથી.આ જમીનો સને ૨૦૨૪ માં સંપાદન કરવાની હોય અને અમોને વળતર સને ૨૦૧૧ ની જંત્રી પ્રમાણે આપો તે અમોએ સાંખી લઈશું નહીં.સાથે સાથે એવી પણ માંગણી છે કે જો દરેક ગામોને એક સરખુ વળતર આપવામાં આવશે તો કદાચ સંમતિની તૈયારીઓ બતાવશે એવું જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.