Western Times News

Gujarati News

પોતાની ફિલ્મ ૩૦૦ કરોડ ન કમાય તો સલમાન ખાનને ખરાબ લાગે છે: નિખિલ અડવાણી

મુંબઈ, ફિલ્મ મેકર નિખિલ અડવાણી સલમાન ખાનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મસિહા ગણાવીને તેના વખાણ કરે છે, અને સલમાન તરફથી મળતા અડગ ટેકાને મહત્વનો ગણાવે છે.

નિખિલે સલમાન ખાન સાથે ‘સલામ-એ-ઇશ્ક’ અને ‘હિરો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં પ્રિયંકા ચોપરા, ગોવિંદા અને અનિલ કપુર તેમજ સૂરજ પંચોલી, અથૈયા શેટ્ટી જેવા કલાકારો હતાં. પરંતુ હવે નિખિલ સલમાન સાથે કામ કરતાં ખચકાટ અનુભવે છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં નિખિલે જણાવ્યું કે સલમાન સાથે સારું બનતું હોવાં છતાં તેને ફરી તેની સાથે કામ કેમ કરવું નથી. તેણે કહ્યું હતું કે સલમાન ખાન સાથે કામ કરવામાં બોક્સ ઓફિસનું અતિશય પ્રેશર મુખ્ય કારણ છે. નિખિલ અડવાણીએ કહ્યું કે સલમાનની ફિલ્મ ૩૦૦ કરોડથી વધુની કમાણી કરવી જ જોઈએ, એવી અપેક્ષા હોય છે.

જો તેનાથી ઓછી આવક થાય તો સલમાન ખાનને અઘરું પડે છે. તેથી નિખિલે કહ્યું કે તે આંકડાઓનાં આટલાં મોટાં પ્રેશરમાં આવવા માગતો નથી અને તે સલમાનને પસંદ કરતો હોવા છતાં તે પોતાના ગમતાં વિષયો પર જ કામ કરવા માગે છે.

નિખિલે આ ઇન્ટરવ્યુમાં આગળ જણાવ્યું હતું કે સલમાન એક એવો સ્ટાર છે, જે જ્યારે તમને જરૂર હશે ત્યારે પોતાનું બધું જ પડતું મુકીને તમને મદદ કરવા દોડી જશે એ એનું કમિટમેન્ટ અને મદદની ભાવના દર્શાવે છે.

નિખિલને સલમાન પ્રત્યે ખુબ આદર ભાવ છે અને તે સલમાનને ઇન્ડસ્ટ્રીનો મસિહા ગણાવે છે, પરંતુ તે ૩૦૦-૪૦૦ કરોડની ફિલ્મના પ્રેશરમાં આવવા માગતો નથી. નિખિલે તાજેતરમાં જ એક અન્ય ઇન્ટરવ્યુમાં એમ પણ જણાવ્યું હતું કે કરણ જોહર સાથે ‘કલ હો ના હો’ બાદ ખટરાગ થયા પછી સલમાન ખાન તેની મદદ આવ્યો હતો અને તેની સાથે ફિલ્મ બનાવવા કહ્યું હતું. જેના પરિણામે ‘સલામ-એ-ઇશ્ક’ અને ‘હિરો’ બનાવી હતી, જોકે, એક પછી એક બંને ફિલ્મો નિષ્ફળ ગઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.