Western Times News

Gujarati News

મુખ્યમંત્રી નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના દર્શન કર્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માનવ સેવા એજ પ્રભુ સેવા ની ભાવનાને વરેલા નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની મુલાકાત લઈ સંતરામ મહારાજની સમાધિ સ્થાનક ના દર્શન કર્યા હતા અને અખંડ જ્યોત સમક્ષ મંગલ કામના કરી હતી.

મંદિરના સંત શ્રી નિર્ગુણ દાસ મહારાજે મુખ્યમંત્રી શ્રીને આવકારી સમાધિ સ્થાન સુધી દોરી ગયા હતા અને સંતરામ મહારાજ અને મંદિરની સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણકારી પ્રદાન કરી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને શ્રી કલ્પેશભાઈ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.