Western Times News

Gujarati News

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી

78 મા સ્વતંત્રતા દિવસની શુભસવારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

ધ્વજવંદન પછી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે જેકફ્રુટ- ફણસનું વૃક્ષ વાવ્યું હતું.

ધ્વજવંદન સમારોહમાં એસ.આર.પી.એફ. જૂથ-૨અમદાવાદના કંપની કમાન્ડર તથા જવાનો અને જૂથ-૧૨ગાંધીનગરના જવાનોએ ભાગ લીધો હતો.

        15 મી ઓગસ્ટના પર્વે રાજભવનના ધ્વજવંદન સમારોહમાં અધિક મુખ્ય સચિવ શ્રી જે.પી. ગુપ્તા રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મારાજ્યપાલશ્રીના એડીસી લેફ્ટનન્ટ કમાન્ડર મનુ તોમર અને શ્રી કે. સિદ્ધાર્થ (આઇપીએસ),  ગાંધીનગરની વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ તથા અન્ય શાળાના બાળકો ઉપરાંત રાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.