Western Times News

Gujarati News

ઘાટલોડિયામાં PPP ધોરણે 9 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો ઓક્સિજન પાર્ક

પ્રતિકાત્મક

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ (પૂર્વ-પશ્ચિમ) અને ગાંધીનગર લોકસભાના કામોનું ઈ-લોકાર્પણ કરશે-અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના 1003 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરાશે

આ ઉપરાંત વેજલપુરમાં જ રૂ.૬.૧ર કરોડના ખર્ચથી તૈયાર થયેલ અર્બન હેલ્થ સેન્ટર અને ઘાટલોડિયામાં પીપીપી ધોરણે રૂ. ૯ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ ઓક્સિજન પાર્કનો સમાવેશ થાય છે.

(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે અંદાજે ૪ થી પ હજાર કરોડ રૂપિયાના ખર્ચથી પ્રજાલક્ષી વિકાસના કામો કરવામાં આવે છે. જેમાં બ્રીજ, રોડ, બગીચા, પાણીની ટાંકીઓ વગેરેનો સમાવેશ થાય છે.

જેના સમયાંતરે ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરવામાં આવતા હોય છે. લોકસભા ચૂંટણી પહેલા કરોડો રૂપિયાના કામના ખાતમુહુર્ત/ લોકાર્પણ કરવામાં આવ્યા છે. હવે આગામી ૧૮મી તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રૂ.૧૦૦૩ કરોડ કરતા પણ વધુ રકમના ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભામાં થયેલ કામોના લોકાર્પણ થશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રૂ.૬૮૬.૧૮ કરોડના કામ મંજુર કરવામાં આવ્યા છે જે પૈકી ૩૭૬.૦૫ કરોડના કામ પૂર્ણ થઈ ચુકયા છે. જેના ઈ-લોકાર્પણ કરવામાં આવશે. જયારે ૧૦.૦૭ કરોડના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે. ગાંધીનગર લોકસભામાં લોકાર્પણ કરવામાં આવનાર કામોમાં સૌથી મુખ્ય કામ વેજલપુર વિધાનસભામાં રૂ.ર૭૧.૯પ કરોડના ખર્ચથી પીપળજ ખાતે તૈયાર થયેલ ૧૮૦ મેટ્રીક ટન ક્ષમતાનો હોટમીક્ષ પ્લાન્ટ રહેશે.

આ ઉપરાંત વેજલપુરમાં જ રૂ.૬.૧ર કરોડના ખર્ચથી તૈયાર થયેલ અર્બન હેલ્થ સેન્ટર અને ઘાટલોડિયામાં પીપીપી ધોરણે રૂ. ૯ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ ઓક્સિજન પાર્કનો સમાવેશ થાય છે.

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભામાં રૂ.૩૧૬.૭૩ કરોડના કામ મંજુર કરવામાં આવ્યા હતા જે પૈકી રૂ.ર૬૭.પ૩ કરોડના કામ પૂર્ણ થઈ ગયા છે જેના લોકાર્પણ થશે. જયારે બે કામના ખાતમુહૂર્ત કરવામાં આવશે. અમદાવાદ પશ્ચિમ લોકસભામાં રૂ.૭ર.૩૧ કરોડના ખર્ચથી તૈયાર થયેલ ઘોડાસર ફલાય ઓવરબ્રીજ, અસારવા વિધાનસભામાં રૂ.પર.૯૯ કરોડના ખર્ચથી કાર્યરત થયેલ રપ એમએલડી એસટીપી, મણિનગર વિધાનસભામાં રૂ.રર.પપ કરોડથી તૈયાર થયેલ ઉમંગનું નવુ વો.ડી સ્ટેશન,

અમદાવાદ પૂર્વમાં નરોડા વિધાનસભામાં રૂ.ર૪.૩૭ કરોડના ખર્ચથી તૈયાર થયેલ ૭ એમએલડી એસટીપી, બાપુનગર વિધાનસભામાં રૂ.૬.૧૭ કરોડના ખર્ચથી અસારવા હાઉસીંગમાં તૈયાર થયેલ વો.ડી. સ્ટેશન, વટવામાં રૂ.ર૪.ર૪ કરોડના ખર્ચથી તૈયાર થયેલ ટી.પી ૧૦પનું વો.ડી. સ્ટેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમદાવાદ પશ્ચિમમાં રૂ.૪૪.પપ કરોડના ખર્ચથી પાલડી વોર્ડમાં આવેલ સંસ્કાર કેન્દ્રનું રીસ્ટોરેશન તથા રી ડેવલોપમેન્ટનું કામ મુખ્ય છે.

મ્યુનિ. સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ ટેન્ડરની શરતો મુજબ કોન્ટ્રાકટરો દ્વારા જે નવી ગાડીઓ લેવામાં આવી છે તેવી ૩પ૦ કરોડના ખર્ચથી વસાવવામાં આવેલ ગાડીઓનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત પીન્ક ટોયલેટ સરખેજ, જોધપુર અને થલતેજના પણ લોકાર્પણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.