Western Times News

Gujarati News

ર્એહમદ પટેલની ૭૫મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પુષ્પાંજલિ અર્પી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ.એહમદ પટેલના ૭૫ માં જન્મ જયંતિ નિમિત્તે તેઓના પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાતા તેમની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરાતા મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાજકારણના ચાણક્ય સ્વ.એહમદ પટેલની આજે ૭૫ મી જન્મ જયંતી છે. તેઓ લોક સેવા કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. પરતું કોરોના મહામારીમાં તેઓએ આ દુનિયાને અલવિદા કહેતા રાજકારણના એક મહાન દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટીએ ગુમાવ્યાં હતા.જોકે આજે ભલે તેઓ આ દુનિયામાં નથી પણ તેમ છતાંય તેમની યાદો હજીય લોકોના દિલોમાં તાજી છે.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ૨૨ મી ઓગસ્ટના રોજ તેમના ૭૫ માં જન્મ જયંતીની ઉજવણી તેમનાં પુત્રી મુમતાઝ પટેલ સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,શહેર પ્રમુખ હરીશ પરમાર, પરીમલસિંહ રણા, નાઝુ ફડવાલા, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અનિલ ભગત, અરવિંદ દોરાવાલા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. મુમતાઝ પટેલે તેમના પિતાએ કરેલા સેવાના કામોને યાદ કરીને આજેય મેડિકલ કેમ્પો સહિતના સેવાના કામોના આયોજન કરાયા હોવાનું જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.