Western Times News

Gujarati News

બલૂચ વિદ્રોહીઓના ઓપરેશન પવન વાવાઝોડાએ ખળભળાટ મચાવ્યો

ઈસ્લામાબાદ, બલૂચ વિદ્રોહીઓએ પાકિસ્તાનમાં મોટો હુમલો કર્યાે છે. આ હુમલામાં કુલ ૭૩ લોકોના મોત થયા છે, જેમાં ૧૪ પાકિસ્તાની સૈનિકો સામેલ છે. આ હુમલામાં ૨૪ કલાકમાં પોલીસ સ્ટેશન, રેલવે લાઇન અને નેશનલ હાઈવેને નિશાન બનાવવામાં આવ્યા છે.

આ હુમલો છેલ્લા કેટલાક દાયકાઓમાં બલૂચિસ્તાનની અંદર સૌથી મોટો હુમલો બની ગયો છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલૂચ વિદ્રોહીઓએ મોટો હુમલો કર્યાે છે.

આ હુમલામાં ૨૪ કલાકની અંદર પોલીસ સ્ટેશન, રેલવે લાઈન અને નેશનલ હાઈવેને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં સૈનિકો સહિત ૭૩ લોકોના મોત થયા હતા. આ હુમલો વિદ્રોહગ્રસ્ત બલૂચિસ્તાનમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી મોટા હુમલાઓમાંનો એક બની ગયો છે.

પાકિસ્તાની સેનાએ કહ્યું કે હુમલા બાદ એન્કાઉન્ટરમાં ૧૪ સૈનિકો માર્યા ગયા છે. આ હુમલામાં બીએલએના ૨૧ બળવાખોરો પણ માર્યા ગયા છે. બલૂચિસ્તાનના મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, ૩૮ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી ૨૩ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હુમલામાં માર્યા ગયા, જ્યારે સશસ્ત્ર માણસોએ પ્રવાસીઓની ઓળખ કરી અને તેમના પર ગોળીબાર કર્યાે.

બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે. બીએલએએ તેને ઓપરેશન ડાર્ક વિન્ડી સ્ટોર્મ નામ આપ્યું છે. તેમણે કહ્યું કે એક મહિલા સહિત ચાર આત્મઘાતી હુમલાખોરોએ ગ્વાદરના દક્ષિણ બંદર જિલ્લા પર હુમલો કર્યાે. પાકિસ્તાની અધિકારીઓ હજુ પણ આ અંગે કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે. જો કે, બલૂચિસ્તાનના મુખ્યમંત્રીએ કહ્યું છે કે હુમલામાં ૩ લોકો માર્યા ગયા છે.

આપને જણાવી દઈએ કે નેશનલ હાઈવે પર હુમલા દરમિયાન હુમલાખોરોએ મુસાફરોને બસમાંથી ઉતારી દીધા હતા અને ગોળીઓથી ઠાર માર્યા હતા. ફાયરિંગની આ ઘટના બલૂચિસ્તાનના મુસાખૈલ જિલ્લામાં બની હતી. સશસ્ત્ર હુમલાખોરોએ ટ્રક અને બસમાંથી મુસાફરોને નીચે ઉતાર્યા અને પાકિસ્તાની પંજાબના લોકોની ઓળખ કરી અને તેમને ગોળી મારી દીધી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.