Western Times News

Gujarati News

નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલી નદીમાં કુલ ૩.૯૫ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

વડોદરા, સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે  વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના કુલ ૨૫ ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી સતર્ક રહેવા કલેકટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી.

જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ  દેવ જળાશયના ઉપરવાસમાં સતત વરસાદને કારણે રૂલ લેવલ જાળવવા જળાશયના દરવાજા સાંજે ૫.૦૦ કલાકે ૨.૪૫ મીટર સુધી ખોલવામાં આવશે તથા ૫૯૩૧૯ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા સાથે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.