Western Times News

Gujarati News

મ્યાનમારમાં વધતા ગૃહયુદ્ધથી ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિ પ્રભાવિત થઈ

નવી દિલ્હી, મ્યાનમારમાં ચાલી રહેલા ભીષણ ગૃહયુદ્ધ અને બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિ ગંભીર જોખમમાં આવી ગઈ છે.

આ નીતિ ભારતના પૂર્વાેત્તર અને દક્ષિણપૂર્વ એશિયા વચ્ચેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે મ્યાનમાર અને બાંગ્લાદેશમાં બદલાતા રાજકીય માહોલને કારણે તે અવરોધોનો સામનો કરી રહી છે.

મ્યાનમારમાં શાસક લશ્કરી જંતા (તત્માદવ) અને વિવિધ વંશીય બળવાખોર જૂથો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે દેશને ગૃહ યુદ્ધની સ્થિતિમાં ધકેલી દીધો છે. બર્મીઝ સૈન્ય રખાઈન (અગાઉનું અરાકાન) પ્રાંતનું નિયંત્રણ ગુમાવી રહ્યું હોય તેવું લાગે છે, જ્યાં ભારતના મહત્વાકાંક્ષી કલાદાન મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટનો મોટો ભાગ સ્થિત છે.

રખાઈન પ્રાંતનો મોટો હિસ્સો હવે અલગતાવાદી અરાકાન આર્મીના નિયંત્રણમાં છે, જે મ્યાનમાર-બાંગ્લાદેશ સરહદ પર સ્વતંત્ર રાજ્ય સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. અરાકાન આર્મીએ રખાઈન પ્રાંતના વહીવટી મુખ્ય મથક સિત્તવે (અગાઉનું અકિઆબ) કબજે કરવા માટે એક વિશાળ જમાવટ શરૂ કરી છે.

જો આ શહેર બળવાખોરોના હાથમાં જાય છે તો તે મ્યાનમાર માટે મોટી વ્યૂહાત્મક હાર હશે અને ભારત માટે પણ ગંભીર સંકટ સર્જી શકે છે.

અરાકાન આર્મીની તાકાત તેની સફળતાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ તે અન્ય બળવાખોર જૂથો સાથે જોડાણ કરીને તેની સ્થિતિને વધુ મજબૂત બનાવી રહી છે.

જુલાઈના અંતમાં, કોકાંગ બળવાખોર જૂથ એમએનડીઅએએએ બર્મીઝ દળોને હરાવીને ઉત્તરી શાન રાજ્યના લાશિયો શહેર પર કબજો કર્યાે, જે ચીનની સરહદ પર સ્થિત છે. બર્મીઝ સૈન્ય માટે આ એક મોટી હાર હતી, કારણ કે તેમની ઉત્તર-પૂર્વ કમાન્ડનું મુખ્ય મથક લાશિયો ખાતે હતું.

આ ઉપરાંત, કાચિન ઇન્ડિપેન્ડન્સ આર્મીએ પણ બર્મીઝ સેના સામે નોંધપાત્ર વિજય મેળવ્યો હતો જ્યારે તેઓએ કાચિન રાજ્યમાં બર્મીઝ લાઇટ ઇન્ફન્ટ્રી બટાલિયન ૪૩૭ ના મુખ્ય મથક પર કબજો કર્યાે હતો. આ જીતથી પ્રેરિત થઈને, અરકાન આર્મી હવે મ્યાનમારથી ઔપચારિક રીતે સ્વતંત્રતાની ઘોષણા કરવા માટે સિત્તવેને કબજે કરવાની યોજના ધરાવે છે.ભારત માટે સ્થિતિ વધુ જટિલ છે.

ભારતે રખાઈન રાજ્યમાં કલાદાન મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ સિત્તવે પોર્ટના આધુનિકીકરણમાં ૪૮૪ મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોને મ્યાનમાર અને તેનાથી આગળ દક્ષિણ-પૂર્વ એશિયા સાથે જોડવા માટે આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, મ્યાનમારમાં બગડતી પરિસ્થિતિને કારણે આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં અનેક અવરોધો ઉભા થઈ રહ્યા છે.

અરકાન આર્મીએ અગાઉ આ પ્રોજેક્ટમાં વિક્ષેપ પાડ્યો હતો, ખાસ કરીને જ્યારે ભારતીય સેનાએ મિઝોરમ સરહદ પર મ્યાનમારમાં તેમના થાણાઓ સામે ‘ઓપરેશન સનશાઈન’ શરૂ કર્યું હતું.

જો કે, ગયા વર્ષે ટાટમાડો સામેની તેની ઝુંબેશ દરમિયાન, અરાકાન આર્મીએ સંકેત આપ્યો હતો કે તે આ કનેક્ટિવિટી પ્રોજેક્ટનો વિરોધ કરશે નહીં, કારણ કે આ રેખાઓ રાજ્યની અર્થવ્યવસ્થા માટે ફાયદાકારક બની શકે છે. પરંતુ, જો અરાકાન આર્મી મ્યાનમારથી તેની સ્વતંત્રતાની ઘોષણા કરે અને ભારત તેને માન્યતા ન આપે, તો પ્રોજેક્ટ સંપૂર્ણ જોખમમાં આવી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.