Western Times News

Gujarati News

અંકલેશ્વરમાં યુવકની હત્યા કરી બોપલમાં છૂપાયેલો હત્યારો ઝડપાયો

અંકલેશ્વર, અંકલેશ્વરમાં ર૦૧૯માં થયેલા સિકયુરિટી ગાર્ડની હત્યાના ગુનામાં વોન્ટેડ હત્યારા સિકયોરિટી ગાર્ડને શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો હતો. વર્ષ ર૦૧૯માં સર્જન બંગ્લોઝની બાંધકામ સાઈટ ખાતે સિકયોરિટી ગાર્ડ યોગન્ન્દ્રસિંહ ઠાકુરે અભિતેન્દ્રસિંહની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સિકયુરિટી ગાર્ડ યોગેન્દ્રસિંહ ઠાકુરને અમદાવાદથી ઝડપી પાડયો હતો.

અંકલેશ્વરમાં ર૦૧૯માં નવી બાંધકામ સર્જન બંગ્લોઝની સાઈટનું કામ ચાલી રહ્યું હતું. આ સાઈટ ઉપર અભિતેન્દ્રસિંગ ચંદેલ અને યોગેન્દ્રસિંહ ઠાકુર બન્ને સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાન ગત તા.૧૬ નવેમ્બર ર૦૧૯ના રાત્રે બન્ને વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો.

આ ઝઘડામાં યોગેન્દ્રસિંહ હરિશચંદ્ર ઠાકુર ઉશ્કેરાઈ જઈ અભિતેન્દ્રસિંહ ઉપર પથ્થર વડે હુમલો કરી માથાના ભાગે પથ્થર મારતા અભિતેન્દ્રસિંગનું મોત નિપજ્યું હતું

જ્યારે યોગેન્દ્રસિંહ ઠાકુર હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જે અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા મળેલી માહિતીના આધારે મૂળ મુંબઈના યોગેન્દ્રસિંગ ઠાકુરને અમદાવાદના બોપલ ખાતેથી ઝડપી પાડયો હતો અને તેની પૂછપરછ કરતા તે મુંબઈમાં અલગ અલગ જગ્યાએ સિકયુરિટીમાં નોકરી કરતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.