Western Times News

Gujarati News

શહેરના ત્રણ ઝોનમાં ગણપતિ વિસર્જન માટે 33 કુંડ તૈયાર કરવામાં આવશે

File


(દેવેન્દ્ર  શાહ) અમદાવાદ,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા દર વર્ષે ગણપતિ ચતુર્થી થી અનંત ચૌદસ સુધી નાગરિકોને તમામ પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તહેવાર ના છેલ્લા દિવસ એટલે કે વિસર્જન ના દિવસે તંત્ર ઘ્વારા સાબરમતી નદીના પટમાં વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવે છે.આ ઉપરાંત દરેક વિસ્તારમાં પણ જ્યાં નાના-મોટા તળવા ઉપલબ્ધ છે ત્યાં પણ વિસર્જનની તમામ સગવડ કરી આપવામાં આવે છે. આગામી 7 સપ્ટેમ્બરથી શરૂ થતા તહેવારના અંતિમ દિવસે મધ્ય, પશ્ચિમ અને ઉતરઝોનમાં વિસર્જન કુંડ બનાવવામાં આવશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ ઉતરઝોનમાં ઝોન લેવલે 8 અને રિવરફ્રન્ટ ઘ્વારા એક કુંડ મળી કુલ 9 કુંડ બનાવવામાં આવશે. રિવરફ્રન્ટ ઘ્વારા છટ્ઠ ઘાટ પાસે કુંડ બનાવવામાં આવ્યો છે જયારે ઝોન કક્ષાએ ભદ્રેશ્વર સ્મશાન અને રણમુકતેશ્વર પાસે પ 25×7.5 ની સાઈઝના બે-બે કુંડ બનાવવામાં આવશે.

બાપુનગર વોર્ડમાં પાછલા વરસે તળાવમાં કુંડ બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલ અહીં તળાવ ડેવલપમેન્ટ નું કામ ચાલી રહ્યું હોવાથી કુંડ માટે જગ્યા નક્કી થઈ નથી.

પશ્ચિમ ઝોનમાં અલગ-અલગ 13 સ્થળે વિસર્જન કુંડ બનાવવામાં આવશે. જેમાં અચેર સ્મશાન પાસે 30×8×4.5 ની સાઈઝ અને કાળીગામ તળાવ પાસે 33×18×3 ની સાઇઝનો કુંડ તૈયાર કરવામાં આવશે. તમામ કુંડ 7 સપ્ટેમ્બર સુધી તૈયાર થઈ જશે.

જયારે મધ્યઝોનમાં 11 કુંડ બનાવવામાં આવશે. જે પૈકી શાહપુર માં 03, જમાલપુર માં 5 અને શાહીબાગ માં 03 કુંડ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ રિવરફ્રન્ટ અને અન્ય ઝોન કક્ષાએ પણ વધુ કુંડ  બનાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.