Western Times News

Gujarati News

હોટલ આઈ.ટી.સી. નર્મદાના ફૂડમાંથી જીવાત નીકળી: રૂ.50 હજારનો દંડ કરવામાં આવ્યો

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટનાં ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે.

ખોખરા ના કોર્પોરેટરના ઓફિસ સ્ટાફ ઘ્વારા ઓનલાઈન કાંકરીયા ની પુરોહિત હોટેલમાંથી મંગાવવામાં આવેલા ફૂડમાંથી ઈયળ નીકળી હતી.ત્યારબાદ  ભાજપના એક  પૂર્વ કોર્પોરેટર કાંકરીયા પરિસરમાં મેરેજ એનિવર્સરી ની ઉજવણી કરવા પરિવાર સાથે કાંકરિયા પરિસરમાં ગયા હતા

જ્યાં ઓર્ડર કરેલા પીઝા અને ટોમેટો સોસમાંથી જીવાત નીકળી હતી જેના બીજા દિવસે જ હોટેલ હયાત ના સાંભરમાંથી વાંદો નીકળ્યો હતો જેના પગલે હેલ્થ ફૂડ વિભાગ ઘ્વારા 30 જુલાઈએ એકસાથે આવા 10  સીલ કર્યા હતા.

તેમ છતાં પરિસ્થિતિમાં સહેજ પણ સુધારો આવ્યો નથી.ખાણી પીણી ના નાના એકમો બાદ હવે પ્રખ્યાત અને મોટી હોટેલના ફૂડમાંથી પણ જીવાતો નીકળી રહી છે  એમ કહી શકાય કે નાગરિકો ના સ્વાસ્થ્ય સાથે ખાણી પીણી ના તમામ એકમો ચેડાં કરી રહયસ છે.

અમદાવાદ ની ખૂબ જ જાણીતી હોટેલ પ્રાઇડ માં આજે સુપમાંથી જીવાત અને હોટેલ હયાત માં પણ જીવાત નીકળ્યાની ઘટના બાદ બુધવારે આઈ.ટી.સી.નર્મદા હોટેલના ફૂડમાંથી જીવાત નીકળી હોવાની ઘટના બની હોવાની વિગતો બહાર આવી છે.

આ અંગે પ્રાપ્ય માહિતી મુજબ જામનગર ની એક ફાર્મા કંપનીના ફાઉન્ડર બિઝનેઝ મિટિંગ માટે આઈ.ટી.સી.નર્મદા હોટેલમાં આવ્યા હતા.જ્યાં તેમના ફૂડમાંથી જીવાત નીકળી હતી.

તેથી તેમની કંપનીના એક ઉચ્ચ અધિકારીએ આ ઘટનાની વીડિયો મોકલી અમદાવાદના ડેઝીગનેટેડ ઓફિસર ડો.ભાવિન જોષી ને ફરિયાદ કરી હતી.

જેના પગલે મ્યુનિસિપલ હેલ્થફૂડ વિભાગની ટીમ ચકાસણી માટે આઈ.ટી.સી. નર્મદા હોટેલ જવા રવાના થઈ હતી. અને ચકાસણી બાદ હોટલને રૃા.50 હજારનો દંડ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.