Western Times News

Gujarati News

દાદાની સવારી…..એસ.ટી. અમારી: 20 હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ કરાયું

આ દેશની પ્રથમ બસ છે જે એરક્રાફ્ટ અને સબમરીન જેવી આધુનિક ફાયરસેફટી ધરાવતી સ્પ્રિંકલર સિસ્ટમથી સજ્જ છે જે નાગરિકોની સુરક્ષામાં વધારો કરે છે :- હર્ષ સંઘવી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નવા યુગની નવી બસોની શરૂઆત થઇ ગઈ છે:- વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

નાગરિકોની પરિવહન સેવાને વધુ સુદ્રઢ બનાવવા વાહનવ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર ખાતેથી ૨૦ નવીન હાઈ ટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરરોડ કનેક્ટીવીટી અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાનો આધાર ગણાવી છે. તે જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

   રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં ૨૦ નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.  મંત્રીશ્રી એ નાગરિકોની સુરક્ષાને લગતી સુવિધાઓનું જાત નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.

      આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કેગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નવા યુગની નવી બસોની શરૂઆત થઇ ગઈ છે. આ અધતન ટેક્નોલોજી યુક્ત ૨૦ નવીન હાઈટેક બસો આજથી ગુજરાતના નાગરીકો માટે કાર્યરત રહેશે. જેમાં અમદાવાદ નેહરૂનગર થી સુરત માટે  આઠ બસોઅમદાવાદ નેહરુનગર થી વડોદરા ખાતે આઠ બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે ચાર બસોનું સંચાલન આજથી નાગરિકો માટે કરવામાં આવશે.

  વધુમાં શ્રી હર્ષભાઈ સંઘવીએ  નવીન  બસમાં સુરક્ષા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કેઆ બસ દેશની પ્રથમ સૌથી સુરક્ષિત બસ છેઆ બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીનમાં જે પ્રકારની ફાયર સેફટીની સુવિધા હોય છે તે પ્રકારની ફાયરસેફટીની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં ફાયર ડીટેકશન અને અલાર્મફાયર ડીટેકશન અને સપ્રેશનઅને ફાયર ડીટેકશન અને પ્રોટેક્શનનો સમાવેશ થાય છે. 

બસમાં કોઈ પણ કારણસર આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે નાઈટ્રોજન ગેસ અને ૨૫૦ લીટરની પાણીની બે ટેન્કો દ્વારા બસની અંદર સ્પ્રિંકલર ટેક્નોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે અને નાગરીકો સુરક્ષિત બહાર આવી શકશે. સાથોસાથ આ બસોમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને એક ઈમરજન્સી બટન આપવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને ત્યારે મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડવામાં સરળતા રહેશે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે આ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છેજેમાં ૪૭ સીટીંગ કેપેસીટીx૨ લેધર અને આરામદાયક પુશબેક સીટસી.સી.ટી.વી કેમેરામોબાઈલ ચાર્જીંગ ફેસીલીટીફાયરસેફટી માટે અધ્યતન સ્પ્રિંકલર સિસ્ટમસ્મોક ડિટેક્ટર એલાર્મએલ.ઇ.ડી. ટી.વીએકઝોસ્ટ ફેન સાથેના હેચઇમર્જન્સી એક્ઝિટ ડોર વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજજ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.

    આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી મીરાબેન પટેલગાંધીનગર ઉત્તર ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલમાણસાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલકલોલ ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોરજિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલબંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી અનુપમ આનંદ સહિત એસ.ટી. વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.