Western Times News

Gujarati News

વિરમગામના વનથળ આનંદ આશ્રમમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, ભારતના વડાપ્રધાન અને વિશ્વમાં લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સ્ટેટ કોર્ડીંનેટર કૌશલભાઈ દવેના માર્ગદર્શન મુજબ અમદાવાદ જિલ્લાની ટીમ દ્વારા વિરમગામ તાલુકાના વનથલ ગામે આનંદ આશ્રમમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાફ સફાઈનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય ગાદીપતિ મહંત શ્રી ભાર્ગવ લાલજી મહારાજ શ્રી ગુરૂગાદી આનંદ આશ્રમ, અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપસિંહ ડોડીયા, તાલુકા ભાજપ પ્રમુખ મફાભાઈ ભરવાડ, તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ કોળી પટેલ,

પૂર્વ તાલુકા પ્રમુખ દશરથભાઈ કોળી, એ.ડી.સી બેંક કર્મચારી ગણ, ડિરેક્ટર પોલાભાઈ કોળી પટેલ, તાલુકા સદસ્ય કાળુભાઇ કો.પટેલ, ઓબીસી મોરચા મહામંત્રી નાગજીભાઈ ભરવાડ, રનુભાઈ ભરવાડ સહિત અમદાવાદ જિલ્લા સંયોજક રસિકભાઈ કોળી  સમગ્ર ટીમ સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.