Western Times News

Gujarati News

‘સિંઘમ અગેઇન’ દિવાળી પર જ આવશે, ‘ભૂલભુલૈયા ૩’ સાથે ટક્કર નિશ્ચિત

મુંબઈ, ‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલભુલૈયા ૩’ બંને ફિલ્મ દિવાળી પર જ રિલીઝ થશે એ બાબતે છેલ્લા થોડાં વખતથી ચર્ચાઓ અને ધારણાઓનો દોર ચાલી રહ્યો છે. ત્યારે મંગળવારે કાર્તિક આર્યને રોહિત શેટ્ટીને ‘સિંઘમ અગેઇન’ની રિલીઝ પોસ્ટપોન કરવાની વિનંતિ કરવા માટે ફોન કર્યાે હોવાના તેમજ અજય દેવગન અને રોહિત શેટ્ટી તેની વાત પર વિચાર કરી રહ્યા હોવાના અહેવાલો પણ આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાક્રમ અંગે વિશ્વસનિય સૂત્રએ જણાવ્યું છે કે હવે આ બંન્ને ફિલ્મો વચ્ચે ટક્કર નક્કી જ છે. રિપોટ્‌ર્સ મુજબ,“દિવાળી પર જ ‘સિંઘમ અગેઇન’ રિલીઝ થશે. ટીમ કશું ય બદલવાના મૂડમાં નથી.

આ ઉપરાંત બીજી કે ત્રીજી ઓક્ટોબરે ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવશે.” કેટલાંક એવા અહેવાલો હતાં કે રોહિત શેટ્ટી, જિઓ વચ્ચે ફિલ્મની રિલીઝ ડેટ બદલવા અંગે ચર્ચા થઈ હતી કારણ કે હાલ હોરર કામેડી ફિલ્મો બોક્સ ઓફિસ પર વધારે સારી ચાલી રહી છે.

અન્ય એક અહેવાલ એવો પણ હતો કે કાર્તિક આર્યન અને પ્રોડ્યુસર ભૂષણ કુમારે રોહિત શેટ્ટી સાથે ચર્ચા કરી હતી કે ફિલ્મોની ટક્કરથી બંને ફિલ્મોની આવક પર અસર થશે.

પરંતુ ‘સિંઘમ અગેઇન’ના મેકર્સને વિશ્વાસ છે કે તેમની સ્ટારકાસ્ટના કારણે બોક્સઓફિસ પર ક્લેશમાં પણ સારી તેમની ફિલ્મ કમાણી કરી શકશે. તેથી હવે કેટલાંક નિષ્ણાતો માને છે કે હવે ‘ભૂલ ભુલૈયા ૩’ એ જ પોતાની રિલીઝ પોસ્ટપોન કરવી પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.