Western Times News

Gujarati News

અમદાવાદમાં જૈનાચાર્ય શ્રી અજીતયશ સૂરિશ્વરજી મહારાજના 61મા જન્મોત્સવ પર્વની ઉજવણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૈનાચાર્ય શ્રી અજીતયશ સૂરિશ્વરજી મહારાજનાં 61મા જન્મોત્સવ પર્વમાં ઉપસ્થિત રહી, આશીર્વચન પ્રાપ્ત કર્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં જૈનાચાર્ય શ્રી અજીતયશ સૂરિશ્વરજી મહારાજના 61મા જન્મોત્સવ પર્વમાં ઉપસ્થિત રહીને તેમનાં આશીર્વચન મેળવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને તેમના મંગલ પ્રવચનનો લાભ પણ લીધો હતો.

અમદાવાદના ભાવસાર હૉલ ખાતે આયોજિત આ પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીએ ગુરુદેવ શ્રી અજીતયશ સૂરિશ્વરજી મહારાજનું ગુરુપૂજન અને ગુરુવધામણાં કર્યાં હતાં. આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રીએ ‘લબ્ધિ પ્રશ્ર્ન’ ગ્રંથનું વિમોચન કરી, સ્વહસ્તે પત્રિકા લેખન કરી ગુરુદેવને અર્પણ કરી હતી.

આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે ગુરુદેવ શ્રી અજિતયશ સૂરિશ્વરજી મહારાજના જન્મદિને તેમના આશીર્વાદ મેળવવા અને જન્મોત્સવ પર્વની ઉજવણીમાં સહભાગી થવાનો અવસર મળવો તે મારા માટે આનંદની વાત છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આજના અવસરે ભગવાનનાં ચરણોમાં પ્રાર્થના કે ગુરુદેવનું સ્વાસ્થ્ય સારું રહે અને આપણને સૌને તેમના આશીર્વાદ અવિરત મળતા રહે. આ જન્મોત્સવ પર્વમાં સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં જૈનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.