Western Times News

Gujarati News

સહકારીતા એક આંદોલન, વ્યવહારિક સ્વરુપ ગુજરાતની દેન : રાજ્યપાલ

સહકારથી સમૃદ્ધિ‘ વિચારને આગળ ધપાવતી અમરેલી જિલ્લાની ૧૬ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિ

ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવીધરતી અને પર્યાવરણને બચાવીએ : વૈજ્ઞાનિક પધ્ધતિથી પશુધન ઓલાદનું સંવર્ધન થાય તે આવશ્યક છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અમરેલી મુલાકાત : સહકારી ક્ષેત્રના પીઢ અનુભવી આગેવાનોનું રાજ્યપાલશ્રીના વરદ હસ્તે સન્માન : વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં શ્રેષ્ઠ કામગીરી બદલ મંડળીઓનું સન્માન

વાર્ષિક ધોરણે અમર ડેરીમાં સૌથી વધુ દૂધ ભરનાર પશુપાલક મહિલાઓને પ્રમાણપત્ર અર્પણ કરી બિરદાવવામાં આવી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે  અમરેલી ખાતે યોજાયેલી જિલ્લાની વિવિધ ૧૬ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીરાજકોટ સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાઅમરેલી સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાઇફ્કો ચેરમેન અને પૂર્વ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી,  નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાધારાસભ્ય સર્વ શ્રી જે.વી. કાકડીયાશ્રી જનકભાઈ તળાવિયાસહકાર આગેવાનો સહિતના મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય કર્યુ હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રેરક ઉદબોધનમાં કહ્યું કેસહકારિતા એ એક જનઆંદોલન છે,  તેનું વ્યાવહારિક સ્વરુપ એ ગુજરાતની દેન છે. અમૂલ (ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા) નું દ્રષ્ટાંત ટાંકી ડેરી અને પશુપાલન ક્ષેત્રમાં રહેલી તકોનો તેમણે પરિચય આપ્યો હતો.

 

પશુધન ઓલાદના સંવર્ધન માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી તે માટેના પ્રયાસો થાય તે અનિવાર્ય છે. ઓછાં ખર્ચે વધુ સારુ પશુપાલન થાય તે માટે ભારતીય દેશી પશુ ઓલાદના સેક્સ સૉર્ટેડ સિમન  રુ.૫૦ જેવી નજીવી કિંમતે મળી રહેશે જે પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ સર્જી શકે તેમ છેસમ્રગ ભારતમાં પશુ ઓલાદ સુધારણા એક મિશન તરીકે આગળ ધપે તે જરુરી છે. ઉચ્ચ ઓલાદ માટે પશુઓમાં પણ ગોત્ર પસંદગીનું મહત્વ હોવાનું રાજયપાલશ્રીએ સમજાવ્યું હતું. ભારત સરકાર દ્વારા સહકારિતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે જેના થકી ભારતમાં સહકારી ક્ષેત્રનો વિકાસ ગતિમાન છે. 

રાજયપાલશ્રીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વિષયે જણાવ્યુ કેપ્રાકૃતિક કૃષિ એ આજના સમયની મુખ્ય માંગણી અને જરુરિયાત છે. રાસાયણિક ખાતરજંતુનાશક દવાઓપેસ્ટીસાઈડ્સના અંધાધૂંધ ઉપયોગને કારણે જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થયો છે અને જમીનની ઉત્પાદકતામાં ઘટાડો નોંધાયો છે. જમીનની ફળદ્રુપતામાં ઉમેરો થાયધરતીના પેટાળમાં વરસાદી પાણી ઉતરે અને જમીનની ગુણવત્તામાં સુધારો થાય તે માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી અનિવાર્ય છે. અળસિયા એ પ્રાકૃતિક કૃષિ માટે મિત્ર હોવાનું જણાવી નેચરલ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમને સક્રિય કરવા અને જમીનમાં રહેલા પોષક તત્વો માટે ઉપયોગી હોવાનું રાજયપાલશ્રીએ ઉમેર્યુ હતું.

સોના જેવી ધરતીના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિનું મહત્વ છે. પ્રાકૃતિક કૃષિની આવશ્કતાઓ સમજી રાજય સરકારે હાલોલમાં પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી શરુ કરી છે તેની પ્રથમ કોલેજ અમરેલીમાં શરુ થવા બદલ તેમણે આગેવાનશ્રીઓ અને નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને તેમણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કરતાં ઉમેર્યું કેઆપણે વર્તમાન અને ભવિષ્યની પેઢી માટે ગૌ પાલનપશુપાલન અને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ તેજ ગતિથી આગળ વધવું પડશે.

સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આપવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિની જનજાગૃત્તિ માટેની અર્થસભર સાંસ્કૃતિક નાટ્ય પ્રસ્તુતિ બાળાઓએ રજૂ કરી હતી.

રાજયપાલશ્રીના હસ્તે સહકારી ક્ષેત્રના પીઢ અનુભવી ૧૦૧ વર્ષીય શ્રી નારણભાઈ  શામજીભાઇ ભંડેરી અને શ્રી હરિભાઈ કાળાભાઇ સાંગાણીનું વડીલ વંદના-સન્માન કરવામાં આવ્યુ હતું. અમર ડેરીમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ દૂધ ભરનાર પશુપાલક મહિલાઓને પ્રમાણપત્ર અર્પણ કરી તેમને બિરદાવવામાં આવ્યા હતા.

નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયાઇફકોગુજકોમાસોલ અને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે,  સહકારી ક્ષેત્રના વિકાસ થકી રોજગારીની તકોમાં વધારો થાય છે. ઉપરાંત સહકારથી સમૃદ્ધિના ઉમદા વિચારને બળ મળે છે. પશુપાલન થકી સહકારી ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા અગત્યની છે. પશુપાલન ક્ષેત્રે થનારા પરિવર્તનો શ્વેત ક્રાંતિ માટે નવા દ્વાર ખોલશે અને તેના ઉજ્જવળ પરિણામો ભવિષ્યમાં મળશે. કુપોષણ નાબૂદી માટે પ્રધાનમંત્રીશ્રીએ પોષણ અભિયાન અમલી કરાવ્યું છેપોષણ અભિયાનને સાર્થક કરવા દૂધ એ સંજીવનીનું કાર્ય કરશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ સાંસદ શ્રી પરસોત્તમભાઈ રુપાલાએ કહ્યુ કેઅમરેલી ખાતે આઈ.વી.એફ. લેબોરેટરીની સ્થાપના થકી અદ્યતન પશુ ઓલાદ સુધારણામાં લાભ મળશે. સહકારી પ્રવૃત્તિઓના વિકાસ માટે યુવાઓને જોડવાનો અભિગમ છે. સાથે મળીને કાર્ય કરવું એ સહકારિતાનો પાયો છે.

સહકારી સંસ્થાઓ અને પશુપાલકોના સહયોગથી પશુપાલન ક્ષેત્રના વિકાસ થકી ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક સમૃધ્ધિપ્રગતિ અને ક્રાંતિ લાવી શકાય. તમામ સહકારી મંડળીઓ ગ્રામ્ય કક્ષાએ આર્થિક ગતિવિધિનું કેન્દ્ર બને તે માટે સૌએ સાથે મળીને પ્રયાસો કરવા પડશે. મહિલા મંડળી દ્વારા કરવામાં આવેલી રુ.૧૧ કરોડ જેટલી રકમની બચતને પ્રેરક હોવાનું જણાવી બચત બીજો ભાઇ‘ એ કહેવત જણાવી શ્રી પરસોત્તમભાઈ રુપાલાએ બચત કરવા અનુરોધ કર્યો હતો.

સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં અમર ડેરીના પ્રારંભ અને વિકાસની વિગત જણાવી. તેમણે કહ્યુ કેસહકારથી સમૃદ્ધિ મેળવી શકાય છે. ગીર ગાયનું સંવર્ધન થતાં સ્થાનિક સ્તરે રોજગારીની ઉત્તમ તકોનું સર્જન થયું છે તેના લીધે સ્થળાંતર ઓછું થશે.

નાયબ મુખ્ય દંડક અને અમરેલીના કુંકાવાવ-વડીયાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલીને સહકાર ક્ષેત્રનું હબ હોઈ પશુપાલકો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ અને વ્યવસ્થા અને રોજગારીની તકોના નિર્માણ માટે તક હોવાનું જણાવ્યું હતું.

વિવિધ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વાઇસ ચેરમેન શ્રી અરુણ પટેલે કર્યુ હતુ. આભાર દર્શન શ્રી મુકેશભાઇ સંઘાણીએ કર્યુ હતું.

બાળાઓએપ્રાકૃતિક કૃષિના મહત્વ ધરતી કહે પુકાર કે‘ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતીઉપસ્થિત સર્વેએ તે કૃતિને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાજિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા,  જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ,  પૂર્વ ધારાસભ્ય શ્રી અંબરિશભાઇ ડેરશ્રી નલિનભાઇ કોટડિયાશ્રી કાળુભાઇ વિરાણીસહકારી અગ્રણીશ્રીઓવિવિધ સહકારી મંડળીઓના આગેવાનશ્રીઓમહાનુભાવોપદાધિકારીશ્રીઓઅધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.