Western Times News

Gujarati News

ઉર્વશીએ કહ્યું, કંગનામાં ખુલીને બોલવાની હિંમત છે

મુંબઈ, પૂર્વ મિસ યુનિવર્સ ઉર્વશી રૌતેલા બોલિવૂડમાં એક ગ્લેમરસ એભિનેત્રી તરીકે જાણીતી છે, જેણે ‘સિંગ સાબ ધી ગ્રેટ’, ‘સનમ રે’ અને ‘હેટ સ્ટોરી ૪’ જેવી ફિલ્મો કરી છે.

આ સિવાય તે કેટલાંક મ્યુઝિક આલ્બમ પણ કરૂ ચૂકી છે. તાજેતરમાં તેણે કંગનાના વખાણ કરતાં તેના નિવેદન પર પણ સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ ગઈ હતી.

ઉર્વશીએ કંગનાની કોઈ પણ મુદ્દે ખુલીને કહેવાની કહ્યું હતું કે આ પ્રકારની નિખાલસતા ઇન્ડસ્ટ્રીમાં મળવી મુશ્કેલ છે. કંગનાની છેલ્લાં કેટલાંક વર્ષોથી બોલિવૂડમાં એક વિવાદાસ્પદ વ્યક્તિ તરીકેની છાપ ઊભી થઈ છે. તેના બેબાક નિવેદનોથી તે વારંવાર ચર્ચામાં આવતી હોય છે. તેમાં તે ઘણી વખત ઇન્ડસ્ટ્રીના અંધારા સત્યો પણ ખુલા કરી દેતી હોય છે.

તેના કારણે તેના પ્રસંશકો અને ટીકા કરનારા બંને પ્રકારના લોકો ઇન્ડસ્ટ્રીમાં બે ભાગમાં વહેંચાઈ જાય છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ઉર્વશીએ કંગનાના વખાણ કરતાં કહ્યું, “કંગના દીદી સત્ય બોલે છે. તેનામાં બોલવાની હિંમત છે.”

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને પણ તેની કૅરિઅરમાં આ પ્રકારના પડકારોનો સમનો કરવો પડ્યો છે, ત્યારે તેણે ના પાડી હતી. તે માત્ર કંગનાના આ અનોખા અંદાજની પ્રસંશક છે.

ઇન્ડસ્ટ્રીમાં બહારથી આવતા લોકોએ કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે અંગે કહ્યું, “એ જે પણ કહે છે તે સાચું છે, પણ એ જે કંઇ કહે છે એવું ઇન્ડસ્ટ્રીમાં બને જ છે. બહારથી આવતા લોકો સાથે આવું થવાનું જ છે.” આ નિવેદન દર્શાવે છે કે બોલિવૂડમાં બહારથી આવતા લોકો માટે ટકી રહેવું કેટલું મુશ્કેલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.