Western Times News

Gujarati News

કુમકુમ મંદિર ખાતે ઉત્તરાયણ – ધનુર્માસની પૂર્ણાહુતિ પ્રસંગે ઉજવણી કરવામાં આવશે

ભકતો સંતોને તા.૧૪ અને તા.૧પ મકરસંક્રાતિ પર્વ નિમિત્તે ઝોળી દાન કરશે. વસ્ત્રો  ઓઢાડશે :  કોઈપણ ઉડાન સંપ વગર શકય બનતી નથી.પતંગ અને દોરાનો પ્રેમ જ આકાશને આંબવાની શકિત સમર્પે છે. સંબંધોનું પણ આવું જ છે.જિંદગીને જીતવા માટે કોઈએ પતંગ બનવું પડે છે અને કોઈને દોરા : સાધુ પ્રેમવત્સલદાસજી

અમદાવાદ:તા. ૧૪ જાન્યુઆરીને મંગળવારે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારે પ-૩૦ થી ૬-૩૦ સુધી સ્વામિનારાયણ મંત્રની ધૂન કરવામાં આવશે.

કુમકુમ મંદિર પાલડી ખાતે ત્યારબાદ ૭-૩૦ થી ૯-૦૦ સત્સંગ સભા યોજાશે ભકતો સંતોને દાન કરશે. આજ રોજ એક માસથી ચાલતી ધનુર્માસની ધૂન ની પૂર્ણાહુતિ કરવામાં આવશે…. ભગવાનને તલ સાંકડી, ગુંદરપાક, બદામપાક, સીંગપાક, બોર, જામફળ, શેરીડી આદીના થાળ ધરાવવામાં આવશે. ભકતો સંતોને ઝોળી દાન નિમિત્તે દાન કરશે.વસ્ત્રો ઓઢાડશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,મકરસંક્રાતિ – ઉત્તરાયણ અંગે જણાવ્યું હતું કે, મકરસંક્રાતિ પર્વ સૂર્ય પર આધારિત છે.સૂર્ય જયારે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતાં ધનુર્માસની સમાપ્તિ થાય છે. ધનના સૂર્યમાં સારાં લૌકિક કાર્ય કરવામાં આવતાં નથી. આ જ દિવસથી કમૂરતાં પણ પૂર્ણ થતાં હોઈ લૌકિક શુભ કાર્યોની શરૂઆત કરી શકાય છે.

પોષ મહિનામાં સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે માટે આ ઉત્સવને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમાની દિશા બદલે છે. તે ઉત્તરની તરફ ઢળતો જાય છે માટે લોકો આ સમયને ઉત્તરાયણ પણ કહે છે. ઉત્તરાયણ શબ્દ ઉત્તર ‘ઉત્તર’ અને ‘અયન’ એ બે શબ્દોથી બનેલો છે. ઉત્તર એટલે ઉત્તર દિશા એટલે દેવોની દિશા અને અયન એટલે જવું એટલે ઉત્તરાયણનો અર્થ ઉત્તર તરફ જવું એવો થાય છે. અને સૂર્યનારાયણ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે.

મકરસંક્રાંતિમાં પવિત્ર નદીના જળમાં સૂર્યોદય પહેલાં સ્નાન કરી ભગવાનની પૂજા – અર્ચના કરવાનો મહિમા છે. મકરસંક્રાંતિના દિવસે તલના દાનનો પણ અનોખો મહિમા છે. ખાસ કરીને તલના લાડવામાં પૈસો મૂકી ગુપ્તદાન કરવામાં આવે છે. સાથે સાથે અનાજ, વસ્ત્ર, ઉનનાં વસ્ત્રો, શેરડી, વિવધ ફળની દાન કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુકિત મળે છે. આ દિવસે ગાયોને ઘાસ ખવડાવવાનો પણ મહિમા છે. મકરસંક્રાતિના દિવસે એક ગણું દાનને હાજારગણું ફળ એમ કહેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતોને ઝોળીનું દાન આપવાનું સવિશષે મહત્વ છે. પંતગોત્સવની પાછળ આધ્યાત્મિકતા પણ છુપાયેલ છે.

કોઈપણ ઉડાન સંપ વગર શકય બનતી નથી.પતંગ અને દોરાનો પ્રેમ જ આકાશને આંબવાની શકિત સમર્પે છે. સંબંધોનું પણ આવું જ છે.જિંદગીને જીતવા માટે કોઈએ પતંગ બનવું પડે છે અને કોઈને દોરા. – આપણે જા સત્સંગના રંગે રંગાયેલા રહીશું તો આકાશમાં ઉંચે – ઉંચે ઊડી શકીશું અને લહેરાતા – લહેરાતા જિંદગી માણી શકીશું. પંતગોત્સવની પાછળ આધ્યાત્મિકતા પણ છુપાયેલ છે. આ આપણે પણ રંગબેરંગી ઉડતા પતંગ છીએ. ઘણા પતંગ દિશા વગર અહીં તહીં ઊડીને ફાટી જાય છે.

તેમ આપણું જીવન દિશા વગરનું ન હોવું જાઈએ પણ ઉત્કૃષ્ટ ધ્યેયવાળું હોવું જાઈએ. જેમ પતંગનો ઢઢ્ઢો અક્કડ હોય તો તે પતંગ સારી રીતે ઊડી શકતો નથી. પરંતુ નમ્ર ઢઢ્ઢાવાળો પતંગ સારી રીતે ઊડી શકે છે તેથી આપણે જીવનમાં આગળ વધવું હોય તો નમ્ર બનવું જાઈએ. આપણે જા સત્સંગના રંગે રંગાયેલા રહીશું તો આકાશમાં ઉંચે–ઉંચે ઊડી શકીશું અને લહેરાતા – લહેરાતા જિંદગી માણી શકીશું.

પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વમુખ વાણી જે વચનામૃત ગ્રંથ તેના વડતાલ પ્રકરણના ચોથા વચનામૃતમાં પતંગને ભગવાનની મૂર્તિની ઉપમા આપીને સમજાવ્યું છે કે, આપણે જેમ દોરીથી પતંગને આકાશમાં ઊંચો – નીચો, આસ–પાસ ચગાવીએ છીએ તેમ મનની વૃત્તિરૂપી દોરી વડે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ સાધીને મૂર્તિ રૂપી પતંગને આકાશમાં ઉડાવતા શીખવું જાઈએ અને એવી રીતે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેવા લાગે તેથી બીજી અધિક પ્રાપ્તિ કોઈ છે જ નહી. અને આવી રીતે વૃત્તિ રહે તો સદાય દિવ્યાતિ દિવ્ય આનંદ વધતો ને વધતો જ રહેશે. જેથી આપણું જીવન પણ રંગબેરંગી પતંગોની જેમ જુદા – જુદા સદ્‌ગુણોરૂપી રંગોથી દીપી ઊઠશે. સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.