ભારતે ત્રણ S400 એર ડિફેન્સ સિસ્ટમ ૩૫,૦૦૦ કરોડમાં ખરીદ્યા હતા

એનએસએ અજીત ડોભાલ આવતા અઠવાડિયે રશિયાની મુલાકાતે જશે-અજિત ડોભાલની આ મુલાકાતનો હેતુ બાકી રહેલી એસ–૪૦૦ વાયુ સંરક્ષણ પ્રણાલીઓની વહેલી ડિલિવરી પર ભાર મૂકવાનો છે.
નવી દિલ્હી, ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, શાહબાઝ શરીફ અને આસીમ મુનીર વચ્ચે વધુ એક તણાવ વધવાનો છે. ભારતના એનએસએ અજિત ડોભાલ પાકિસ્તાનના વિનાશ માટે વધુ સામગ્રી લાવવા રશિયા જઈ રહ્યા છે.
હા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આવતા અઠવાડિયે મોસ્કો જઈ શકે છે. અજિત ડોભાલની આ મુલાકાતનો હેતુ બાકી રહેલી એસ–૪૦૦ વાયુ સંરક્ષણ પ્રણાલીઓની વહેલી ડિલિવરી પર ભાર મૂકવાનો છે.
જો સૂત્રોનું માનીએ તો, મોસ્કોની તેમની મુલાકાત દરમિયાન, અજિત ડોભાલ સુરક્ષા મુદ્દાઓ પર ઉચ્ચ પ્રતિનિધિઓની ૧૩મી આંતરરાષ્ટ્રીય બેઠકમાં ભાગ લઈ શકે છે. આ બેઠક ૨૭ થી ૨૯ મે દરમિયાન મોસ્કોમાં યોજાશે અને તેની અધ્યક્ષતા રશિયન સુરક્ષા પરિષદના સચિવ સેરગેઈ શોઇગુ કરશે. આ દરમિયાન, અજિત ડોભાલ બાકીની બે એસ–૪૦૦ વાયુ સંરક્ષણ પ્રણાલીઓની વહેલી ડિલિવરીનો મુદ્દો ઉઠાવી શકે છે.
એનએસએ અજિત ડોભાલ પોતે મોસ્કો જશે અને એસ–૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમની વહેલી ડિલિવરી માટે ફોર્સ કરશે. ઓપરેશન સિંદૂર દ્વારા આખી દુનિયાએ જોયું છે કે એસ–૪૦૦ભારત માટે કેટલું મહત્ત્વપૂર્ણ છે. પાકિસ્તાન તેના નામથી જ ડરે છે.
ભારત પાસે હાલમાં ૩ S400 છે. ભારતમાં તેનું નામ સુદર્શન ચક્ર છે. બાકીના એસ–૪૦૦ના આગમનથી પાકિસ્તાનનો તણાવ વધુ વધશે. વર્ષ ૨૦૧૮માં, ભારતે એસ–૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ યુનિટ્સ ૫.૪ બિલિયન ડોલર એટલે કે ૩૫,૦૦૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.