IPLની ફાઈનલ મેચમાં ટિકિટ વગર મેચ જોનારા ૨૦૦ લોકો ઝડપાયા

File
(એજન્સી)અમદાવાદ, મંગળવારે અમદાવાદમાં આઈપીએલની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલ ૨૦૨૫ની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં આરસીબીએ ૧૮ વર્ષ બાદ જીત મેળવી છે.
ત્યારે લોકો દેશ- વિદેશથી મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. મેચ જોવા માટે દર્શકો એટલા ઉત્સુક હતા કે તમે મૂળ કિંમત કરતા વધારે કિંમતની ટીકિટ ખરીદી હતી. ત્યારે અમદાવાદમાં ફાઈનલ મેચમાં ૨૦૦ દર્શકો ટિકિટ વગર ઝડપાયા હતા.
ટિકિટ વગર સ્ટેડિયમમાં મેચ જોવા ઘૂસેલા દર્શકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ભીડનો લાભ લઈ ટિકિટ વગર જ સ્ટેડિયમમાં પ્રવેશ લઈ લીધો હતો. જો કે ટિકિટ વગર ઝડપાયેલા તમામ લોકોને પોલીસે બહાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આઈપીએલની ફાઈનલ મેચ જોવા માટે વીવીઆઈપી લોકો પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. આઈપીએલ સમાપન સમારોહમાં બીસીસીઆઈ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બદલ બીસીસીઆઈ સેનાના સન્માનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો.