ભગવાન શિવના પરમ ભક્ત કન્નપ્પાની દંતકથા પર આધારીત ફિલ્મ ૨૭ જૂને રીલીઝ થશે

૨૭ જૂને રિલીઝ થશે વિષ્ણુ માંચુની ‘કન્નપ્પા’
પહેલાં પણ જાહેર થઈ ગયું છે એમ આ ફિલ્મ ભગવાન શિવના પરમ ભક્ત કન્નપ્પાની દંતકથા પર આધારીત છે
‘કન્નપ્પા’નો રન ટાઈમ ૩ કલાકથી વધુ હશે
મુંબઈ,વીએફએક્સની મહત્વની હાર્ડ ડિસ્કની ચોરી અને પારિવારિક વિવાદો બાદ અંતે હવે વિષ્ણુ માંચુની ફિલ્મ ‘કન્નપ્પા’ આખરે ૨૭ જૂને રીલીઝ થઈ રહી છે અને આ ફિલ્મનો રન ટાઇમ ૩ કલાક અને ૧૦ મિનિટ છે. મોટા બજેટ અને મોટી સ્ટાર કાસ્ટ સાથે બનેલી આ ફિલ્મ અક અનોખો સિનેમેટિક અનુભવ હોવાનો ટીમનો દાવો છે.
છેલ્લાં થોડા વખતમાં રિલીઝ થયેલી કેટલીક ફિલ્મમાં મોટા બજેટની ફિલ્મો પણ ઘણી લાંબી હતી, એ જ ટ્રેન્ડમાં આ ફિલ્મ પણ ઘણી લાંબી હશે. પહેલાં પણ જાહેર થઈ ગયું છે એમ આ ફિલ્મ ભગવાન શિવના પરમ ભક્ત કન્નપ્પાની દંતકથા પર આધારીત છે. તેમાં ટોપ પ્રોડક્શન વેલ્યુ સાથે મોટી કાસ્ટ પણ છે. એવું કહેવાય છે કે જો આ ફિલ્મ ચાલી ગઈ તો ભવિષ્યમાં આ જોનરની ફિલ્મ માટે આ ફિલ્મ એક મહત્વનો વળાંક લઈને આવશે.
આ ફિલ્મમાં મહોન બાબુ, અક્ષય કુમાર, મોહનલાલ, પ્રભાસ, સરથકુમાર, કાજલ અગ્રવાલ અને પ્રિતિ મુકુંદન મહત્વનાં રોલમાં છે. વિષ્ણુ માંચુ માત્ર લીડ રોલમાં જ નથી, પરંતુ તેણે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી છે. મુકેશ કુમાર સિંઘે આ ફિલ્મ ડિરેક્ટ કરી છ અને ૨૪ ળેમ્સ ફેક્ટરી બેનરમાં મોહન બાબુએ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.
કન્નપ્પા જોવા માટે જેટલી ભવ્ય ફિલ્મ હશે એટલી જ આ ફિલ્મ ભાવનાત્મક પણ છે.આ ફિલ્મનું સંગીત સ્ટીફન દેવાસી દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે તેમજ શેલ્ડન ચાઉએ સિનેમેટોગ્રાફી કરી છે. આ ફિલ્મ ઓડિયો વિઝ્યુઅલી વૈભવી હશે તેવા દાવાને કારણે ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે કે આ ફિલ્મ પણ કન્નપ્પા પણ સાઉથની પૅન ઇન્ડિયન બ્લોકબસ્ટર રિલીઝની યાદીમાં જોડાઈ શકે.SS1