Western Times News

Gujarati News

દોસાંઝની ‘સરદારજી ૩’માં હાનિયા આમિરને લોકોએ શોધી જ લીધી

દિલજીત દોસાંઝે ‘સરદારજી ૩’ ના સેટ પરથી ફોટા શેર કર્યા

ઘણા લોકોએ એવો પણ દાવો કર્યાે હતો કે દિલજીત બીજી એક તસવીરમાં હાનિયા સાથે પોઝ આપી રહ્યો હતો

મુંબઈ,પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંઝે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેમની આગામી પંજાબી ફિલ્મ ‘સરદારજી ૩’ ના સેટ પરથી ફોટા શેર કર્યા. અભિનેત્રી નીરુ બાજવા તેમાં સામેલ હતી, પરંતુ ચાહકોએ પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરને પૃષ્ઠભૂમિમાં જોઈ. અગાઉ, ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાનિયાને ફિલ્મમાંથી દૂર કરી શકાય છે. આ હુમલામાં ૨૬ પ્રવાસીઓ માર્યા ગયા હતા અને ભારત-પાકિસ્તાન સંબંધોમાં તણાવ પેદા થયો હતો.

દિલજીત દોસાંઝે હવે ‘સરદારજી ૩’ ના સેટ પરથી ફોટા શેર કર્યા હશે, પરંતુ સ્પષ્ટ છે કે આ તસવીરો જૂની હશે. પહેલા ફોટામાં ચાહકોએ જોયું કે હાનિયા આમિર નીરુ બાજવાની પાછળ ઉભી છે. ફક્ત તેના ટૂંકા વાળ અને આંખો જ દેખાય છે. ઘણા લોકોએ એવો પણ દાવો કર્યાે હતો કે દિલજીત બીજી એક તસવીરમાં હાનિયા સાથે પોઝ આપી રહ્યો હતો. આમાં, તે કથિત રીતે હાનિયાને પોતાના હાથમાં પકડી રહ્યો છે.દિલજીતના ટી-શર્ટ પર હાનિયાનો ચહેરો છપાયેલો છે!જોકે, અભિનેત્રીનો ચહેરો દેખાતો નથી. કેટલાક લોકોએ તો એવું પણ અનુમાન લગાવ્યું હતું કે દિલજીત જે ટી-શર્ટ પહેરી રહ્યો છે તેના પર હાનિયાનો ચહેરો છપાયેલો છે.

જોકે, નિર્માતાઓ કે ગાયિકા દ્વારા હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી કે ‘સરદાર જી ૩’માં હાનિયા આમિરનો રોલ દૂર કરવામાં આવ્યો છે કે તે હજુ પણ તેનો ભાગ છે. જાણીતું છે કે ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા હુમલા બાદ, ભારત દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ઘણા પાકિસ્તાની સેલેબ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આમાં હાનિયાનો પણ સમાવેશ થતો હતો.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.