Western Times News

Gujarati News

શાળા પ્રવેશ ઉત્સવ ગુરુકુળની થીમ પર નડિયાદ ખાતે હર્ષોલ્લાસભેર ઉજવાયો

(પ્રતિનિધિ) નડિયાદ, શ્રી સંતરામ સમાધી સ્થાન અને શ્રી સંતરામ કેળવણી મંડળ નડિયાદ સંચાલિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠમાં ગુરુકુળ થિમ પર શાળા પ્રવેશ ઉત્સવની પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને સંત શ્રી સત્યદાસજી મહારાજની સીધી દેખરેખ હેઠળ ભવ્ય ઉજવણી કરવામાં આવી

આજે શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ, નડિયાદ ખાતે નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ના આરંભ નિમિત્તે શાળા પ્રવેશ ઉત્સવ ગુરુકુળની થીમ પર હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો અહેસાસ થાય તે હેતુસર એન્ટ્રી પરિસરમાં ગુરુકુળ જેવી માહોલ રચવામાં આવ્યો હતો.

બાળકોનું શિક્ષકો દ્વારા વેદમંત્રોચ્ચાર સાથે સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને શાળા પ્રવેશના પ્રથમ દિવસે પ્રેમપૂર્વક આવકારાતા આનંદ અને ઉત્સાહથી પૂરિત માહોલ સર્જાયો હતો. આ પ્રવેશ ઉત્સવનું મુખ્ય હેતુ બાળકોમાં આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનું સંસ્કાર વાવેતર કરવું છે, જે આજના સમયમાં અત્યંત આવશ્યક બની ગયું છે.”

કાર્યક્રમની સફળતા માટે શાળા મેનેજમેન્ટ ઉત્સાહપૂર્ણ સહયોગ નોંધપાત્ર રહ્યો.અંતે સર્વે બાળકોએ નવા શૈક્ષણિક વર્ષમાં ઉમંગપૂર્વક અભ્યાસ શરૂ કર્યો અને ભાવિની ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ સાથે શાળા પ્રવેશ ઉત્સવને સ્મરણિય બનાવ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.