Western Times News

Gujarati News

નડિયાદ પારસ સર્કલ પાસે પડેલા ભુવાને લઈ કોંગ્રેસના દેખાવો

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા નડિયાદના રોડ રસ્તાઓના સમારકામ મહા પાલિકાના વહીવટદાર અને કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે તેમજ આજે પારસ સર્કલ પાસે પડેલા મોટા ભુવાને લઈ ત્યાં દેખાવો કર્યો હતો

નડિયાદ શેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે કરેલી આ રજૂઆતમાં જણાવ્યું છે કે નડિયાદ નગરપાલિકાનું મહા નગરપાલિકામાં રૂપાંતર થયા બાદ પણ તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. જેમાં નડિયાદ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ માર્ગોની હાલત કથડતા નગરજનોને પારાવાર મુશ્કેલી વેઠવાની વારી આવી છે. એક તરફ સરકારશ્રી દ્વારા નવા રોડ રસ્તા પાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ બીજી તરફ જૂના રસ્તાઓમાં પડેલા ખાડાઓ બાબતે કોઇ કામગીરી કરવામાં આવી નથી રહી.

આ કારણે જેતે વિસ્તારના સ્થાનિકોને છેલ્લા કેટલાક સમયથી ભારે મુશ્કેલી વેઠવાની વારી આવી છે. આ ઉપરાંત અમુક વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા બનાવવામાં આવ્યા નથી. ત્યારે ચોમાસું બેસે તે પહેલા ખાડાઓને સરખી રીતે પૂરવા જરૂરી છે, જો આ ન કરવામાં આવે તો નડિયાદવાસીઓને આગામી ૫-૬ મહિના સુધી ખાડામાંથી પસાર થવું પડશેમહાનગરપાલિકા વિસ્તારમાં આવતા તમામ રોડ રસ્તાના સમારકામ કરવા અમારી માંગ છે

આ રજૂઆતમાંનડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના જર્જરિત રસ્તાઓની યાદી કરી છે જેમાં વોર્ડ નં.૬ માં મરીડા ભાગોળ થી ભૈરવનાથ મંદિરવાળો રીંગ રોડવોર્ડ નં.૮ માં ઘોડિયા બજારમાંથી પસાર થતો માર્ગ વોર્ડ નં.૮ માં રબારીવાડ વિસ્તારનો માર્ગ નો સમાવેશ થાય છે આ ઉપરાંત નડિયાદના હાર્દસમા એવા પારસ સર્કલ પાસે છેલ્લા ઘણા દિવસોથી એક મોટો ખાડો પડ્‌યો છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યો હતો

આ બાબતે હાર્દિક ભટ્ટે જણાવ્યું હતું કે હાલમાં ખાડા આગળ લાલ પાટિયા મૂકીને કોર્ડન કરવામાં આવ્યો છે. પરંતુ નડિયાદ મહાનગરપાલિકાના બેદરકાર તંત્ર દ્વારા આ ખાડો પુરવાની તસ્દી લેવામાં આવી નથી રહી. જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે અને લોકોને હાલાકી પડી રહી છે. ભૂતકાળના અનુભવો પ્રમાણે લાગી રહ્યું છે કે અકસ્માત થશે લોકોને વાગશે પછી જ આ ઊંઘતું તંત્ર જાગશે. એવું લાગી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.