ક્વોટામાં પેટાક્વોટા અનામત પરનો હુમલો નથીઃ CJI ગવઇ

આવી જોગવાઈ સૌથી વંચિતને ન્યાય પહોંચાડવાનો જરૂરી સુધારો ગણાવ્યો
અનુસૂચિત જાતિઓમાં પેટા-વર્ગીકરણ અનામતની સુસંગતતા અથવા સફળતા પર પ્રશ્ન ઉઠાવતું નથી
નવી દિલ્હી,જાતિ આધારિત વસ્તી ગણતરી અને અનામત નીતિઓ અંગે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે ત્યારે ભારતના મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈએ જણાવ્યું છે કે ક્વોટામાં પેટા ક્વોટાની જોગવાઈ અનામત નીતિ પરનો હુમલો નથી, પરંતુ તે સૌથી વંચિત લોકો સુધી ન્યાય પહોંચાડવા માટેનો જરૂરી સુધારો છે.
લંડનમાં ઓક્સફર્ડ યુનિયન ખાતે સંબોધન કરતાં સીજેઆઈ ગવઈએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિઓમાં પેટા-વર્ગીકરણ અનામતની સુસંગતતા અથવા સફળતા પર પ્રશ્ન ઉઠાવતું નથી. તે એ ખાતરી કરવાનો પ્રયાસ કરે છે કે અનુસૂચિત જાતિઓના સમુદાયના ઐતિહાસિક રીતે સૌથી વધુ વંચિત લોકો સુધી પણ અનામતનો લાભ મળે. બંધારણ જાતિ, ગરીબી, બહિષ્કાર અને અન્યાયના ક્‰ર સત્યોથી પોતાની નજર દૂર કરતું નથી.
તે એવો ડોળ કરતું નથી કે અસમાનતાથી ઘેરાયેલી આ ભૂમિમાં તમામ એકસમાન છે. તેના બદલે તે દરમિયાનગીરી કરવાની, ઇતિહાસ ફરી લખવાની, સત્તાનું સંતુલન જાળવવાની તથા ગૌરવને પુનઃસ્થાપિત કરવાની હિંમત કરે છે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે રાજ્યો પાસે સામાજિક અને શૈક્ષણિક રીતે વધુ પછાત જાતિઓના ઉત્થાન માટે અનુસૂચિત જાતિઓમાં પેટા-વર્ગીકરણ કરવાની બંધારણીય સત્તા છે.
ભારતના બંધારણને સામાજિક દસ્તાવેજ ગણાવીને મુખ્ય ન્યાયાધીશ ગવએ જણાવ્યું હતું કે ઘણા દાયકાઓ પહેલા ભારતના લાખો નાગરિકોને અસ્પૃશ્ય ગણવામાં આવતા હતાં. તેમને કહેવામાં આવતું હતું કે તેઓ અશુદ્ધ છે. પરંતુ આજે આપણે અહીં છીએ, જ્યાં તે જ સમાજનો એક વ્યક્તિ દેશના ન્યાયતંત્રમાં સર્વાેચ્ચ પદ પર પહોંચ્યો છે અને મુક્ત પણે બોલી શકે છે. ભારતના બંધારણની આ એક તાકાત છે. ગવઈએ મ્યુનિસિપલ સ્કૂલથી દેશના સર્વાેચ્ચ ન્યાયિક હોદ્દા પરની તેમની સફરનો પણ ઉલ્લેખ કર્યાે હતો.SS1