Western Times News

Gujarati News

પોરબંદરમાં ચોપાટી પર રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં એકનું મોત, ૧૬ને ઈજા

ચોપાટી સ્થળે ધાર્મિક ઉત્સવમાં વિશાળ સ્થંભની દોરી તૂટતા દુર્ઘટના સર્જાઈ

આ અકસ્માતમાં સ્થંભ માથે પડતાં ત્યાં હાજર અનેક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

પોરબંદર,પોરબંદરની ચોપાટી પર રામદેવપીરના મંડપ ઉત્સવ દરમિયાન એક દુર્ઘટના બની હતી. આ મંડપનો સ્થંભ અચાનક ધરાશાયી થતાં ૧૬ લોકો ઘાયલ થયા હતા અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મંગળવારની રાત્રે પોરબંદરની ચોપાટી પર રામદેવપીરના મંડપોત્સવ નામના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.

બુધવારે વહેલી સવારે મંડપ ખડો કરવાની વિધિ ચાલી રહી હતી તે દરમિયાન જ મંડપના સ્થંભને ટેકો આપતી દોરી અચાનક તૂટી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં સ્થંભ માથે પડતાં ત્યાં હાજર અનેક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી, જેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તેમાંથી વનરાજ નામના આધેડનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત, ત્રણ મહિલા સહિત દસથી વધુ લોકોને ઈજાઓ થઈ હોવાથી તેમને સારવાર આપવામાં આવી હતી.મળતી માહિતી મુજબ, પોરબંદરમાં રામદેવપીરના મંડપોત્સવમાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વનરાજભાઈ ગોરાણીયા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. તેઓ મંગળવારે રાત્રે હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી પર હતા અને ફરજ પૂરી કરીને સવારે સાડા છ વાગ્યે સીધા મંડપમાં દર્શન માટે ગયા હતા. આ દુર્ઘટના બનતા તેમનું દુઃખદ અવસાન થયું હતું.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.