ઇ-કેવાયસી વિના રેશન કાર્ડધારકોને અનાજથી વંચિત રાખવા એ કાયદાના ભંગ સમાન

Files Photo
૩.૮૨ કરોડ લોકો પાત્ર છતાં વિતરણના આંકડામાં લાખોનો તફાવત
શન કાર્ડ ધારકોને મળતું અનાજ અન્ન અધિકાર સાથે જોડાયેલું હોવાથી ટેકનીકલ કારણસર તેને નકારી શકાય નહીં
ગાંધીનગર,રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદામાં દરેક નાગરિકની અન્ન સુરક્ષાની જવાબદારી રાજ્યને સોંપાયેલી છે તેમ છતાં રાજ્યમાં ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ ન કરી હોય તેવા અનેક રેશન કાર્ડ ધારકોને સરકારે અનાજથી વંચિત કરી દીધા હોવાનું બહાર આવ્યું છે. તે સંજોગોમાં રાજ્યમાં સરેરાશ લગભગ ૩.૮૨ કાર્ડધારકો અનાજ મેળવવાને પાત્ર છે તેની સામે હાલ કેટલાને અપાઇ રહ્યું છે તે જાહેર કરવા માગણી માગ ઉઠી છે.
ઇ-કેવાયસી ન થયું હોય તો તેમાં ફક્ત કાર્ડ ધારકોની જવાબદારી ન હોવાથી રેશનિંગનું અનાજ બંધ ન કરી શકાય તે મુદ્દો પણ ધ્યાનમાં લેવાયો નથી. અન્ન સુરક્ષા અધિકાર અભિયાન દ્વારા જણાવાયું છે કે ગુજરાતમાં સરકારનો એવો દાવો છે કે દર મહિને કુલ ૭૮,૬૮,૪૬૮ રેશન કાર્ડ હેઠળ ૩,૮૨,૨૦,૩૨૭ કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવે છે. જો કે માર્ચ મહિનાથી મે-૨૦૨૫ સુધીના ડેટા મુજબ દર મહિને ૩.૭૨ કરોડ લોકોને અનાજ અપાયાનો ડેટા આઇપીડીએસ પોર્ટલ પર મૂકવામાં આવ્યો છે. તેના કારણે લાખો કાર્ડ ધારકો અનાજથી વંચિત રહ્યા હોવાની ભીતિ ઉભી થઇ છે.
ગુજરાતમાં એપ્રિલ-૨૦૨૬માં આ કાયદો અમલી બનાવાયો છે જે રેશન કાર્ડ ધારકો સાથે આંગણવાડી અને મધ્યાહન ભોજન યોજનાને પણ આવરી લે છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા ઇ-કેવાયસીની પ્રક્રિયા ફરજીયાત કરવાનો આદેશ કરાયો ત્યારે દેશભરમાં ૯૯.૮ ટકા જેટલા રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લીંક કરાયેલા હતા. તે પછી ઇ-કેવાયસીની સૂચના આવતા રેશન કાર્ડ ધારકોએ તેની પ્રક્રિયા કરી હતી. તેમ છતાં અંગુઠાનું નિશાન ન આવતા, આધારમાં ભૂલ હોવાથી, નેટવર્કના પ્રોબ્લેમ સહિતના કારણોથી અનેક લોકોનું ઇ-કેવાયસી થઇ શક્યું ન હતું.
જેના કારણે મોટી સંખ્યામાં કાર્ડ ધારકોની પરમીટ ઓનલાઇન જનરેટ ન કરાતા તેમને અનાજ મળી શકતું નથી. વાસ્તવમાં રેશન કાર્ડ ધારકોને મળતું અનાજ અન્ન અધિકાર સાથે જોડાયેલું હોવાથી ટેકનીકલ કારણસર તેને નકારી શકાય નહીં. તે સંજોગોમાં અન્ન સુરક્ષા અભિયાન દ્વારા ઇ-કેવાયસીના મુદ્દે અનાજ અટકાવાયું હોય તેવા રેશનકાર્ડ ધારકોને પુનઃ અનાજ ચાલુ કરવા માગણી કરાઇ છે.SS1