આમિર ખાને ‘સિતારેં ઝમીન પર’ની રિલીઝ માટે અપનાવી નવી સ્ટ્રેટેજી

આમિર ખાન તેની ફિલ્મ માટે હંમેશા નવા પ્રયોગ માટે જાણીતો છે
આમિર ખાનને ફિલ્મ સારી ચાલશે એવો વિશ્વાસ છે સાથે તે ઓડિયન્સના બદલાતાં વલણથી પણ માહિતગાર છે
મુંબઈ,આમિર ખાન તેની ફિલ્મ માટે હંમેશા નવા પ્રયોગ માટે જાણીતો છે. એક્ટર પ્રોડ્યુસર આમિર ‘સિતારે ઝમીન પર’ની રિલીઝ મા ટે એક એવી સ્ટ્રેટેજી અપનાવવા જઈ રહ્યો છે, ફિલ્મ રિલીઝના માળખાને નવો આકાર આપી દેશે. આ ફિલ્મને રિલીઝ કરવા માટે આમિરે નવી અને બહુ વિચારપૂર્વકની પેટર્ન અપનાવી છે, જેનો હેતુ ફિલ્મ લાંબી ચાલે અને વધુ દર્શકો સુધી પહોંચે એવો છે.
આમિરે સિતારેં ઝમીન પરની રિલીઝ માટે પીવીઆર ઇનોક્સ સાથે દેશના સ્તરે ભાગીદારી કરી છે અને આંતરરાષ્ટ્રિય સ્તરે તેણે અનિલ થડાની સાથે હાથ મિલાવ્યા છે. પરંતુ આ પાર્ટનરશિપથી પણ તેની સ્ટ્રેટેજી વધુ ચર્ચામાં છે. આમિર ખાનને ફિલ્મ સારી ચાલશે એવો વિશ્વાસ છે સાથે તે ઓડિયન્સના બદલાતાં વલણથી પણ માહિતગાર છે. તેથી તે લાંબા ગાળાનું પરિણામ જોઈ રહ્યો છે. ૨૦ જૂને આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે, ત્યારે સૂત્રોના મતે આમિર ફિલ્મ રિલીઝ થાય પછી ઓડિયન્સના ધસારાને ધ્યાનમાં રાખીને ધીરે ધીરે ફિલ્મના શો વધારવાનો વિચાર ધરાવે છે.
આમિરનો ટાર્ગેટ ૧૦૦૦થી ૧૫૦૦ સ્ક્રીન્સ પર ફિલ્મ રિલીઝ કરવાનો છે. પહેલાં અઠવાડિયે તે લગભગ ૧૨૫૦ સ્ક્રીનમાં ફિલ્મ રિલીઝ કરશે. આ અંગે સૂત્રએ જણાવ્યું, “આમિરને કેટલાંક વિસ્તારોમાં ફિલ્મ ઘણી સારી ચાલશે એવો વિશ્વાસ છે, તેથી તે ધીરે ધીરે લોકોની માગણી મુજબ લોકો સુધી પહોંચવાનો પ્લાન ધરાવે છે. હાલ તો એવું લાગે છે કે આમિર પોતાની ફિલ્મ કોઈ ઓટીટી પર રિલીઝ નહીં કરે. હાલ તો એમની ટીમ પાસે વર્ડ ઓફ માઉથના સમય સુધી પહોંચવા આમિર પાસે ઘણો સમય છે. ચોક્કસ પ્લાન શું છે એ તો રિલીઝ નજીક આવે એમ જ ખ્યાલ આવશે.”
રસપ્રદ વાત એ છે કે આ પહેલાં આવી સ્ટ્રેટેજી યશરાજ ફિલ્મ્સ અને રાજશ્રી પ્રોડક્શન દ્વારા પણ ઉપયોગમાં લેવાઈ છે. હમ આપકે હૈ કૌન, દમ લગા કે હૈશા અને ઊંચાઈમાં પણ આવું જ થયું હતું. સામાન્ય રીતે બોલિવૂડમાં રિલીઝના પહેલાં જ દિવસે થિએટરમાં લોકોનું ઘોડાપૂર ઉભરાય એવી યોજના ઘડવામાં આવતી હોય છે. પરંતુ આમિર શરૂઆતમાં સ્ક્રિનના આંકડાને નિયંત્રણમાં રાખવા માગે છે પછી સ્ક્રીન વધશે. સૂત્રના જણાવ્યા અનુસાર, “આમિર કોઈ વીકેન્ડ પર જ ધ્યાન આપતા વીકેન્ડ મોડેલને ધ્યાનમાં રાખીને રિલીઝ કરવા ધારતો નથી.
તે ચે તેની વાર્તા લાંબો સમય સુધી ચાલે, ધીરે ધીરે લોકો તેને સમજે ને લોકો ધીરે ધીરે ફિલ્મ સાથે જોડાય એવું ઇચ્છે છે પછી તેમની ભાવનાઓ એકબીજાને કહે, ત્યાં સુધી ફિલ્મ ચાલે એવું ઇચ્છે છે. આ એક જોખમ જરૂર છે –પરંતુ ગણતરીપૂર્વકનું, આમિરની ગુણવત્તા અને જથ્થાની ગણતરી સાથેનું છે.”વધુ એક સૂત્રએ જણાવ્યું, “આમિર પહેલાંથી જ સિનેમાનો વિદ્યાર્થી રહ્યો છે. તેણે રાજશ્રીના લોકો સાથે મીટિંગ કરી, ચર્ચાઓ કરી તેમની સ્ટ્રેટેજીમાં ઊંડો ઉતર્યાે.
આમિરે આવી સમજ સાથે ફિલ્મ તૈયાર કરી છે.”મહત્વની વાત તો એ છે કે તેમનું આયોજન એવું પણ છે કે પહેલાં દિવસે થિએટર દર્શકોથી ઉભરાઈ પણ ન જાય અને બીજા અઠવાડિયામાં ખાલી પણ ન રહે. તે ઇચ્છે છે કે તેની ફિલ્મ સ્થિર ગતિએ અને લાંબી ચાલે. આમિરે આ ફિલ્મ સાથે સ્પેશિયલ નીડ્ઝના બાળકો પરની એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવી છે, તે ફિલ્મ અને ડોક્યુમેન્ટ્રી બંને યોગ્ય રીતે અસરકાર સાબિત થાય એવું ઇચ્છે છે.SS1