Western Times News

Gujarati News

બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન પૂર્વે સરદાર સાહેબની ભાવવંદના કરતા મુખ્યમંત્રી

સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીના સ્વરાજ આશ્રમની મૂલાકાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષ ઉજવણી  ઉપલક્ષમાં બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન પૂર્વે સરદાર સાહેબની ભાવવંદના કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ ની ઉજવણીના ઉપલક્ષમાં બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન પૂર્વે સરદાર સાહેબની કર્મભૂમિ સ્વરાજ આશ્રમબારડોલીની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વરાજ આશ્રમબારડોલીની તેમની મુલાકાત દરમિયાન સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને ભાવાંજલિ આપી હતી.

આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ સરદાર નિવાસની મુલાકાત લઇ આશ્રમના ટ્રસ્ટીગણ પાસેથી સરદાર સાહેબે ખેડૂતો માટે કરેલા સંઘર્ષ અંગે વિગતે જાણકારી મેળવી હતી. બારડોલી સત્યાગ્રહ દ્વારા વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા તેની જાણકારી પણ તેમણે મેળવી હતી.

સરદાર સાહેબ  સ્વરાજ આશ્રમમાં તેમના નિવાસ દરમિયાન જે ખંડમાં વિવિધ રાષ્ટ્રહિત પ્રવૃત્તિઓ કરતા હતા તે ખંડ અને સ્મૃતિ ચિન્હોનું નિરીક્ષણ મુખ્યમંત્રીશ્રીએ કર્યુ હતુ અને સરદાર સાહેબની ભાવવંદના કરી હતી.

આશ્રમના સંચાલકોએ સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણી ના આ વર્ષમાં  મુખ્યમંત્રીશ્રી સ્વરાજ આશ્રમની મુલાકાતે આવ્યા એ માટે ખુશી વ્યક્ત કરી હતી. સરકાર દ્વારા આશ્રમને કરવામાં આવતી મદદ અંગે ટ્રસ્ટીગણે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આશ્રમના પ્રમુખ ભીખાભાઈ પટેલઉપપ્રમુખ કિરીટભાઇ પટેલ અને મંત્રી નિરંજનાબેને મુખ્યમંત્રીશ્રીનું  શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન સુરતના સાંસદ મુકેશભાઈધારાસભ્ય સર્વશ્રી ગણપતસિંહ વસાવાઈશ્વરભાઈ પરમારસંદીપભાઈ દેસાઈમોહનભાઈકલેકટર ડૉ. સૌરભ પારધીજિલ્લા વિકાસ અધિકારી સુશ્રી. શિવાની ગોયલપોલીસ અધિક્ષક હિતેશ જોયસરભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડપૂર્વ જિલ્લા પ્રમુખ ભાવિનભાઈ પટેલ તેમજ સંબંધકર્તા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.