1988માં પ્લેન ક્રેશમાં અમદાવાદમાં 133 લોકોના મોત થયા હતા

પાંચ મુસાફરો બચી ગયા હતા તેમાંથી ત્રણ ઈજાઓને કારણે મૃત્યુ પામ્યા હતા- બચી ગયેલા બે વ્યકિતઓમાં અમદાવાદના અશોક અગ્રવાલ અને વિનોદ શંકર ત્રિપાઠીનો સમાવેશ થયો હતો.
આજથી 37 વર્ષ પહેલાં 19 ઓક્ટોબર 1988ના રોજ મુંબઇથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ અમદાવાદમાં લેન્ડ કરતા સમયે ક્રેશ થઇ હતી.
સવારે 6.05 વાગ્યે ક્રેશ થયેલા એ વિમાનમાં 135 લોકો સવાર હતા, જેમાંથી 133 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા અને બે જ લોકો બચ્યા હતા, શરૂઆતમાં પાંચ મુસાફરો અકસ્માતમાં બચી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી ત્રણ ઈજાઓને કારણે મૃત્યુ પામ્યા હતા.
ત્યારે આ ભીષણ દુર્ઘટનામાં માત્ર બે જ વ્યક્તિ બચી જવા પામી હતી. તેમાં અમદાવાદના અશોક અગ્રવાલ અને વિનોદ શંકર ત્રિપાઠીનો સમાવેશ થયો હતો.
આ દુર્ઘટના ઇન્ડિયન એરલાઇન્સના ઇતિહાસમાં સૌથી ગોઝારી અને ભારતના એવિએશન ઇતિહાસની ચોથી સૌથી ભયાનક હવાઇ દુર્ઘટના હતી.
વિમાનને અમદાવાદ એરપોર્ટના રનવે પર લેન્ડ કરવાની પરમીશન આપવામાં આવી નહોતી. 6.53 વાગ્યે પ્લેન ચિલોડા કોતરપુર ગામની બહાર એક ઝાડ અને વીજળીના થાંભલા સાથે અથડાઈને ક્રેશ થઇ ગયું. વિમાનનો કાટમાળ એરપોર્ટ રનવેની હદથી અઢી કિલોમીટર દૂર મળી આવ્યો હતો.
આ અકસ્માતનું કારણ બંને પાઇલટની એરર ઓફ જજમેન્ટને ઠેરવવામાં આવ્યું હતું. ઓછી વિઝિબિલિટી અને રનવે ન શોધી શકવા છતાં પ્લેનને 1 હજાર ફૂટથી નીચે ઉતારવાની ભૂલ જીવલેણ સાબિત થઇ.
આ ઉપરાંત ભારતમાં થયેલી વિમાન દુર્ઘટનાઓ
૧૪/૦૬/૧૯૭૨ – દિલ્હી એરપોર્ટ પાસે વિમાન ક્રેશ, ૮૨ના મોત
વર્ષ ૧૯૭૨માં જાપાન એરલાઈન્સની ફ્લાઈટ નંબર-૪૧૭ નવી દિલ્હી પાસેના પાલન એરપોર્ટ પર લેન્ડ થવાની હતી, જોકે તે એરપોર્ટ પાસે જ ક્રેશ થઈ ગઈ હતી, જેમાં ૮૨ લોકોના મોત થયા હતા. જ્યાં પ્લેન ક્રેશ થયું, ત્યાં ઉભેલા ત્રણ નાગરિકોના પણ મોત થયા હતા. જાપાને ઘટનાનું કારણ ‘ફાલ્સ ગ્લાઈડ પાથ સિગ્નલ’ હોવાનું કહ્યું હતું. જ્યારે ભારતે લેટડાઉન પ્રક્રિયાને અવગણવાનું કારણ ગણાવ્યું હતું.
૩૧/૦૫/૧૯૭૩ – દિલ્હીના પાલમ એરપોર્ટ પાસે પ્લેન ક્રેશ, ૬૫ના મોત
વર્ષ ૧૯૭૩માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર-૪૪૦ નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી. આ દરમિયાન પાયલોટે લેન્ડિંગ વખતે સામાન્ય ભૂલ કરતા મોટી દુર્ઘટના બની હતી અને પ્લેન પાલન એરપોર્ટ પર જ ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં ૬૫ મુસાફરો સવાર હતા, જેમાંથી ૪૮ મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો.
૧૨/૧૦/૧૯૭૬ – મુંબઈમાં વિમાનનું એન્જીન ફેલ, ૯૫ના મોત
વર્ષ ૧૯૭૬માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર-૧૭૧નું એન્જીન અચાનક ફેલ થઈ ગયું હતું, જેના કારણે ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. આ ઘટના મુંબઈમાં બની હતી, જેમાં વિમાનમાં સવાર તમામ ૯૫ મુસાફરોના મોત થયા હતા.
૦૧/૦૧/૧૯૭૮ – મુંબઈની અરબી સમુદ્રમાં પ્લેન ક્રેશ, ૨૧૩ના મોત
મુંબઈના એરપોર્ટ પરથી એર ઈન્ડિયાનું બોઈંગ ૭૪૭ એટલે કે ફ્લાઈટ નંબર-૮૫૫ ટેકઓફ થયું હતું, તેની થોડી ક જ મિનિટોમાં પ્લેન મુંબઈના અરબી સમુદ્રમાં જઈને ક્રેશ થયું હતું. આ ઘટનામાં કુલ ૨૧૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પ્લેન ક્રેશ થવાનું કારણ પાયલટની ભૂલ અને ઉપકરણોમાં ખરાબી હોવાની વિગતો સામે આવી હતી.
૧૯/૧૦/૧૯૮૮ – અમદાવાદના એરપોર્ટથી બે કિમી દૂર પ્લેન ક્રેશ, ૧૩૫ના મોત
અમદાવાદમાં અગાઉ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર ૧૧૩ ક્રેશ થઈ હતી. આ ફ્લાઈટ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી બે કિલોમીટર દૂર ક્રેશ થઈ હતી. વિમાનમાં ૧૩૫ લોકો સવાર હતા, જેમાંથી ૧૩૩ના મોત થયા હતા. માત્ર બે લોકોનો જીવ બચ્યો હતો.
૧૨/૧૧/૧૯૯૬ – બે વિમાનો સામસામે અથડાતા ૩૪૯ લોકોના મોત
વર્ષ ૧૯૯૬માં ભારતના ઈતિહાસની સૌથી મોટી ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. સાઉદી અરેબિયન એરલાઇન્સ અને કઝાકિસ્તાન એરલાઇન્સની ફ્લાઈટો આકાશમાં જ સામ-સામે અથડાઈ હતી. આ ઘટનામાં ૩૪૯ લોકોના મોત થયા હતા. આ ઘટના વિશ્વના સૌથી મોટા વિમાન દુર્ઘટનાઓમાંથી એક છે.
૧૭/૦૭/૨૦૦૦ – પટણા એરપોર્ટ, ૬૦ લોકોના મોત
વર્ષ ૨૦૦૦માં એલાઈન્સ એરની ફ્લાઈટ નંબર-૭૪૧૨ લેન્ડિંગ વખતે પટણાના એરપોર્ટ પર ક્રેશ થઈ ઘઈ હતી. પાઇલટે ફ્લાઈટ પર કાબુ ગુમાવવાના કારણે આ ઘટના બની હતી, જેમાં ૬૦ લોકોના મોત થયા હતા.
૨૨/૦૫/૨૦૧૦ – કર્ણાટક એરપોર્ટ પર ફ્લાઈટ રન-વે પર લપસી જતા ક્રેશ, ૧૫૮ના મોત
એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઈટ નંબર-૮૧૨ કર્ણાટકના મંગલૌર એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી, ત્યારે તે રન-વે પર લપસી જતા મોટી દુર્ઘટના બની હતી. આ ઘટનામાં ૧૫૮ લોકોના મોત થયા હતા. આ અકસ્માત ભારે વરસાદ અને રન-વેની સ્થિતિના કારણે થયો હોવાનું મનાય છે.
૦૭/૦૮/૨૦૨૦ – કોઝીકોડમાં પ્લેન દુર્ઘટના, ૧૮ના મોત
એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર ૧૩૪૪ વંદે ભારત મિશનનો એક ભાગ હતી. ફ્લાઈટના પાયલોટે કેરળના કોઝીકોડમાં ભારે વરસાદ વચ્ચે એરપોર્ટના રન-વે પર લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ફ્લાઈટ લપસી ગઈ હતી, જેના કારણે બે પાયલોટ સહિત ૧૮ લોકોના મોત થયા હતા.
૨૮/૦૧/૨૦૨૩ – મધ્યપ્રદેશમાં બે વિમાનો અથડાયા હતા
વર્ષ ૨૦૨૩માં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બે ફાઈટર જેટ્સ સુખોઈ અને મિરાજ-૨૦૦૦ આકાશમાં જ સામસામે અથડાયા હતા. જેમાં એક પાયલોટનું મોત થયું હતું.