Western Times News

Gujarati News

ઈરાનના ૪ પરમાણુ સ્થળો નષ્ટ થયા: ઈઝરાયલનો હુમલોઃ ૮૦થી વધુનાં મોત

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઈઝરાયલે ઈરાન માટે પરમાણુ બોમ્બ બનાવતા વિજ્ઞાનીઓ ઉપર પણ હુમલો કર્યાે હતો.

ઈરાનના લશ્કરી વડા સહિત ટોચના ૨૦થી વધુ અધિકારીઓનો ખાત્મોઃ નેતન્યાહૂએ મોદી સાથે વાત કરીઃ ટ્રમ્પ-પુતિન સાથે વાત કરશે

(એજન્સી)તહેરાન, શુક્રવારે સવારે ઇઝરાયલે ઈરાન પર હવાઈ હુમલો કર્યો જેમાં ૨૦ ટોચના કમાન્ડર માર્યા ગયા. આમાં સેના અને વાયુસેનાના વડાઓનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયલે સવારે ૨૦૦ ફાઇટર જેટથી ૬ ટાર્ગેટ પર હુમલો કર્યો. આમાં ઘણા પરમાણુ લક્ષ્યો અને લશ્કરી સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ પછી, ઈરાને બપોરે ઇઝરાયલ સામે બદલો લીધો અને ૧૦૦થી વધુ ડ્રોન છોડ્‌યા. ઇઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે તેમણે બધા ડ્રોનને તોડી પાડ્‌યા. અત્યાર સુધી એક પણ ડ્રોન ઇઝરાયલની સરહદ સુધી પહોંચ્યું નથી.

આ દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે ઇરાન પરમાણુ કરાર પર હસ્તાક્ષર કરી લે નહીંતર હજું મોટા હુમલાનો સામનો કરવો પડશે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો કારણ કે તેણે પરમાણુ કરાર પર હસ્તાક્ષર નથી કર્યા. તેમણે કહ્યું કે બધું સમાપ્ત થાય તે પહેલાં ઈરાને આ કરાર પર હસ્તાક્ષર કરવા જોઈએ.

આ પહેલાં આજે સવારે ઇઝરાયલે ૨૦૦ ફાઈટર જેટ વડે ઈરાન પર હુમલો કર્યો. ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, ઇઝરાયલી સેનાએ તેહરાનની આસપાસના ઓછામાં ઓછા ૬ લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ ૬ સ્થળોમાંથી ૪ સ્થળોએ પરમાણુ સ્થળો પણ હાજર છે. ઈરાનના સરકારી મીડિયાએ પુષ્ટિ આપી છે કે ઇઝરાયલી હુમલામાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડર હુસૈન સલામીનું મૃત્યુ થયું છે.

અલ-જઝીરા અનુસાર, ઈરાનના બે અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિકો, મોહમ્મદ મેહદી તાહરાંચી અને ફરેદૂન અબ્બાસી પણ આ હુમલામાં માર્યા ગયા છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે ઈરાનના આર્મી ચીફ મોહમ્મદ બાઘેરી, અન્ય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને કેટલાક વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિકો પણ આ હુમલામાં માર્યા ગયા છે.
આ દરમિયાન, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીએ કહ્યું કે અમારી સેના ઇઝરાયલને સજા વિના જવા દેશે નહીં.

ઇઝરાયલી વાયુસેનાના લડાકુ વિમાનોએ રાત્રે નાતાન્ઝ વિસ્તારમાં ઈરાનની સૌથી મોટી યુરેનિયમ સુવિધા પર હુમલો કર્યો. આ હુમલાથી કેન્દ્રના તે ભાગને પણ અસર થઈ જે ભૂગર્ભમાં બનાવવામાં આવ્યો હતો.

અહીં યુરેનિયમ શુદ્ધિકરણ મશીનો (સેન્ટ્રિફ્યુજ), ઇલેક્ટ્રિકલ રૂમ અને અન્ય જરૂરી તકનીકી માળખાકીય સુવિધાઓ હતી.
ઈરાને રિવોલ્યુશનરી ગાડ્‌ર્સના એરોસ્પેસ કમાન્ડર મેજર જનરલ અમીરાલી હાજીઝાદેહ અને તેમના સાથી અધિકારીઓના મૃત્યુની પુષ્ટિ કરી છે. ૈંઇય્ઝ્રએ જણાવ્યું હતું કે તેઓ બધા કમાન્ડ સેન્ટર પર ઇઝરાયલી હુમલામાં માર્યા ગયા હતા.

અલ જઝીરાએ પશ્ચિમ ઈરાનના કરમાનશાહમાં એક વેરહાઉસમાં આગ લાગવાના વીડિયોની પુષ્ટિ કરી છે. આ વેરહાઉસ ઇરાકી સરહદ નજીક ભૂગર્ભમાં બનાવવામાં આવ્યું હતું. અહીં બેલિસ્ટિક મિસાઇલો રાખવામાં આવી હતી.

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. હવે સમાચાર એ છે કે ઈરાનના ઉત્તરપશ્ચિમ શહેર હામેદાનમાં પણ એક મોટો વિસ્ફોટ થયો છે. ઈરાની મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, આ વિસ્ફોટ ઇઝરાયલી હુમલા પછી થયો હતો. જોકે, તે સ્પષ્ટ નથી કે હુમલામાં કયા સ્થળને નિશાન બનાવવામાં આવ્યું હતું. હામેદાન શહેરમાં ઈરાની એરબેઝ છે, પરંતુ અધિકારીઓએ જણાવ્યું ન હતું કે તે લક્ષ્ય હતું કે કોઈ અન્ય સ્થળ. અગાઉ, ઇઝરાયલે તબરીઝના લશ્કરી એરપોર્ટ પર હુમલો કર્યો હતો.

ઇઝરાયલી સેનાએ ૈંઇય્ઝ્રના એરોસ્પેસ ફોર્સ ચીફને મારી નાખવાનો દાવો કર્યો છે. ૈંડ્ઢહ્લએ જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે ઇઝરાયલી ફાઇટર જેટ્‌સે હુમલો કર્યો હતો. જેમાં હાજીઝાદેહ ઉપરાંત બે વધુ વરિષ્ઠ એરોસ્પેસ અધિકારીઓ માર્યા ગયા હતા. જોકે, ઇરાને હજુ સુધી તેમના મૃત્યુની પુષ્ટિ કરી નથી. રક્ષામંત્રી ઇઝરાયલ કાત્ઝે કહ્યું કે, ઇઝરાયલે મોટાભાગના ૈંઇય્ઝ્ર એર કમાન્ડ અધિકારીઓને મારી નાખ્યા છે.

તેમણે કહ્યું કે આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે આ અધિકારીઓ ભૂગર્ભ કમાન્ડ સેન્ટરમાં ભેગા થયા હતા. આ હવાઈ હુમલા એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે ઈરાન ખુદ પરમાણુ બોમ્બ બનાવવાની નજીક પહોંચી ગયું છે. ૨૦ વર્ષમાં પહેલી વાર આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના બોર્ડ ઓફ ગવર્નર્સે ગુરુવારે નિરીક્ષકો સાથે કામ ન કરવા બદલ ઈરાનની આકરી ટીકા કરી હતી.

ઈરાને તરત જ જાહેરાત કરી કે તે દેશમાં ત્રીજી સંવર્ધન સાઇટ સ્થાપિત કરશે અને કેટલાક સેન્ટ્રીફ્યુજને વધુ અદ્યતન સેન્ટ્રીફ્યુજથી બદલી નાખશે.ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણાં વર્ષાેથી ઈઝરાયલ ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતા અટકાવવા પ્રયાસ કરી રહ્યું છે. તેણે આ મામલે ઘણીવાર તેને ચેતવણી પણ આપી હતી. જ્યારે અમેરિકાએ પણ આ મામલે ઈરાનને ચેતવણી આપતાં ગઇકાલે જ તેમના નાગરિકોને મધ્યપૂર્વના દેશોને છોડીને વતન પરત કરવા આદેશ કર્યાે હતો.

ઉલ્લેખનીય છે કે આ સાથે ઈરાન પણ હવે ઈઝરાયલના આ હુમલાનો જડબાતોડ જવાબ આપી શકે છે. તેને ધ્યાનમાં રાખીને ઈઝરાયલમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને શાળાઓ અને ઓફિસો બંધ રાખવા કહેવાયું છે.

લોકોને બંકરોમાં છુપાવા કહેવામાં આવ્યું છે. ઈઝરાયલ અગાઉ બે વખતની જેમ ભયાનક રીતે મિસાઈલ હુમલા કરી શકે છે. ઈઝરાયલે શુક્રવારે સવારે જ કહ્યું કે અમે ઈરાન પર હુમલો કરી દીધો છે. ઈરાનના તહેરાનમાં ઠેર ઠેર વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઈઝરાયલે ઈરાન માટે પરમાણુ બોમ્બ બનાવતા વિજ્ઞાનીઓ ઉપર પણ હુમલો કર્યાે હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.