Western Times News

Gujarati News

ઈઝરાયેલના ૨૦૦ ફાઈટર જેટ્‌સે ઈરાનમાં ૬ સ્થળે હુમલા કર્યાં

ઇરાન પર ઈઝરાયેલની એરસ્ટ્રાઈક ૧૦૦થી વધુનાં મોત નિપજ્યાં

ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવતું રોકવા પગલું લેવાયું

ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ હુમલા બાદ ટ્રમ્પ અને પુતિન પહેલાં વડાપ્રધાન મોદી સાથે વાત કરી

તેલ અવીવ ,તહેરાન, હમાસ અને પેલેસ્ટાઈન સાથે લાંબા સમયથી યુદ્ધ કરી રહેલા ઈઝરાયેલે પોતાના હથિયારો હવે ઈરાન તરફ તાક્યા છે. ઈઝરાયેલે સવારના સમયે ઈરાનની ન્યૂક્લીયર સાઈટ્‌સ તથા સૈન્ય મથકોને ટાર્ગેટ બનાવ્યા હતા.

ઈઝરાયેલના ૨૦૦ ફાઈટસ જેટ્‌સે ઈરાનમાં છ સ્થળે હુમલા કર્યા હતા. આ હુમલામાં ઈરાનના ૬ પરમાણુ વિજ્ઞાની, સૈન્યનાં ટોચના ૪ કમાન્ડર અને ૨૦ અધિકારીઓએ જીવ ગુમાવ્યા હતા. ૧૦૦થી વધુ લોકોનાં મોત થયા હતા અને ૩૨૯ ઘાયલ થયા હતા. ઈરાને બપોરના સમયે ૧૦૦થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા અને ઈઝરાયેલને આકરી સજા આપવાનું એલાન કર્યું હતું.ઈઝરાયેલે તહેરાન આસપાસની ૬ સૈન્ય છાવણીઓને નિશાન બનાવી હતી, જેમાંથી ચાર સ્થળે પરમાણુ હથિયારો હતા. ઈઝરાયેલના આ હુમલામાં ઈસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડર હુસૈન સલામીનું મોત થયુ હતું.

અલ ઝઝીરાના અહેવાલ મુજબ, ઈઝરાયેલના બે મુખ્ય પરમાણુ વિજ્ઞાની મોહંમદ મેહદી તેહરાંચી અને ફરદૂન અબ્બાસીના પણ મોત થયા છે. ઈઝરાયેલે દાવો કર્યાે છે કે, આ હુમલામાં ઈરાનના આર્મી ચીફ મોહંમદ બાધેરી ઉપરાંત સૈન્યના સંખ્યાબંધ અધિકારીઓ અને પરમાણુ વિજ્ઞાનીઓના મોત થયા છે. ઈરાનના સર્વાેચ્ચ નેતા અયાતુલ્લા ખોમેનીએ ઈઝરાયેલને આ હુમલાની આકરી સજા આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યાે હતો. ઈઝરાયેલના આ હુમલા બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકાએ રવિવારે ઈરાન સાથે પરમાણુ બેઠકનું આયોજન કર્યું હતું. જો કે હવે આ બેઠક થાય તેવી શક્યતા નથી. ઈરાન પાસે હજુ પણ સમજૂતી કરવાનો માર્ગ છે. ઈરાનને અપમાન અને તબાહીથી બચાવવાનો પ્રયાસ મેં કર્યાે છે. ઈઝરાયેલના હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં યુદ્ધ વકરવાથી પોતાને કોઈ ફરક નહીં પડતો હોવાનું પણ ટ્રમ્પે કહ્યું હતું.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક વીડિયોમાં જણાવ્યું હતું કે, તેમણે નવેમ્બર ૨૦૨૪માં પોતાના મિલિટરી અધિકારીઓને ઈરાનના ન્યૂક્લીયર પ્રોગ્રામ તબાહ કરવા આદેશ આપ્યો હતો. પહેલા આ હુમલો એપ્રિલ મહિનાના અંતમાં થવાનો હતો, પરંતુ કેટલાક કારણોસર તેમાં વિલંબ થયો હતો. ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવે નહીં તે માટે આ હુમલો જરૂરી હતો. તેમણે આ હુમલાને યુદ્ધની શરૂઆત ગણાવ્યુ હતું. હુમલા બાદ નેતાન્યાહૂએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાત કરતાં પહેલા ભારતના વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી હતી અને વર્તમાન સ્થિતિ અંગે વાકેફ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, હુમલાના એક દિવસ પહેલા યુએનની પરમાણુ શસ્ત્રો પર નજર રાખતી સંસ્થાએ ઈરાનને ન્યૂક્લીયર શસ્ત્રો વિકસાવતા રોકવા માટે પ્રતિબંધો ફરમાવ્યા હતા.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.