Western Times News

Gujarati News

આણંદ જિલ્લાના મુસાફરોના મૃતદેહ વતન લાવવા ૧૫ એમ્બ્યુલન્સ રવાના

દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃતકોના અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધીની જરૂરી સુવિધાઓ જિલ્લા વહીવટી તંત્ર પૂરી પાડશે

આણંદ, અમદાવાદ ખાતે ગતરોજ બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આણંદ જિલ્લાના મૃત્યુ પામેલ પ્રવાસીઓના મૃતદેહને આણંદ જિલ્લામાં પરત લાવીને તેમના સ્વજનોને સોંપવા માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની ૧૦ જેટલી એમ્બ્યુલન્સ વાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે. આ માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વધુ ૦૫ એમ્બ્યુલન્સ વાન પણ રવાના કરવામાં આવનાર છે.

આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવાર સાથે સંપર્ક કરવા તથા મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટને લગતી કામગીરી તથા ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવા માટે અને મૃતક વ્યક્તિઓના સ્વજનોનો સંપર્ક કરી મૃતકોના અંતિમ સંસ્કાર થાય ત્યાં સુધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવશે, જે અન્વયે ખભાતના પ્રાંત અધિકારી કુંજલ શાહ અને આણંદના સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર સુશ્રી એચ.ઝેડ. ભાલીયાની નિમણૂંક કરવામાં આવી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.