આમિર અને અક્ષયને ૮ કલાકની શિફ્ટ મળે તો દીપિકાને કેમ નહીં?

હવે કબીર ખાન પણ દીપિકાના ટેકામાં
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કબીરખાને કામના કલાકોનું એક માળખું બનાવવા અંગે વાત કરી હતી
મુંબઈ, દીપિકા પાદૂકોણ અને સંદીપ રેડ્ડી વાંગામાંથી કોઈએ ભલે એકબીજાનું નામ સ્પષ્ટ રીતે લીધું નથી કે નથી દીપિકાએ અંગે કોઈ સ્પષ્ટતા કે વાત કરી છે, તેમ છતાં દીપિકા અને સંદીપ રેડ્ડી વાંગા વચ્ચેની લડાઈ અને મુદ્દો ખુબ ચર્ચામાં છે. હવે આ લડાઇમાં જાણીતા ફિલ્મ મેકર કબીર ખાને પણ ઝંપલાવ્યું છે. તેણે દીપિકાને મજબુત ટેકો જાહેર કર્યાે છે. સાથે તેણે ન્યાયી નિર્ણય, ધારા ધોરણો અને આરોગ્ય અંગે પણ વાત કરી હતી.તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કબીરખાને કામના કલાકોનું એક માળખું બનાવવા અંગે વાત કરી હતી.
તેણે કહ્યું, “હું સેટ પર ૫૦૦ લોકો સાથે કામ કરું છું એ દરેકના પરિવાર હોય અને અંગત જીવન હોય છે. તેમના આરોગ્યનું પણ મહત્વ છે, તેઓ સારી રીતે કામ કરી શકે માત્ર એટલે નહીં, તેમનું માનસિક સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.”દીપિકાને ટેકો આપતા કબીર ખાને કહ્યું, “આ એક યોગ્ય મુદ્દો છે. આમિર ખાન આઠ કલાકની શિફ્ટમાં કામ કરે છે, અક્ષય પણ. તો મને ખબર નથી પડતી દીપિકા કેમ ન કરી શકે.
જો કોઈ ડિરેક્ટર લાંબા સમય સુધી કામ કરવા માગતા હોય તો તેમની પાસે તેના માટે યોગ્ય કારણ પણ હોવું જોઈએ.
આ એટલી સરળ વાત છે.”પોતાના અંગત સમય અને પરિવારનું બલિદાન આપીને જ ફિલ્મ બની શકે તે વાતનો સ્પષ્ટ ઇનકાર કરતા કબીર ખાને કહ્યું, “મેં ક્યારેય એક દિવસમાં ૧૨ કલાકથી વધારે શૂટ કર્યું નથી, ક્યારેય ઓવરટાઇમ કર્યાે નથી અને ક્યારેય રવિવારે કામ કર્યું નથી. આ સામાન્ય અને વ્યાજબી નિયમો છે.”જ્યારે દીપિકાની ૨૫ કરોડ ફી લ્ટાર પાવર પર આધાર રાખે છે, આ અંગે કબીર ખાને કહ્યું, “જે દર્શકોને થિએટર સુધી લાવી શકે છે, પછી તે એક્ટર હોય, ડિરેક્ટર હોય, પુરુષ કે સ્ત્રી, તે દરેકને તેમના મૂલ્ય મુજબ વળતર મળવું જ જોઈએ.”