અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ રેલવે પ્રોટેક્સન ફોર્સ (RPF)ની સરાહનીય કામગીરી

Ahmedabad, અમદાવાદ માં થયેલ દુખદ વિમાન દુર્ઘટના બાદ પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ દ્વારા તાત્કાલિક રાહત અને બચાવકાર્યોમાં મદદ કરવા માટે રેલવે પ્રોટેક્સન ફોર્સ (આરપીએફ) ટીમ અને એમ્બ્યુલન્સ સહિત મેડિકલ ટીમને બચાવ અને રાહત કાર્યોમાં મદદ કરવા મોકલવામાં આવ્યા.
12 જૂન, 2025 ના રોજ 242 મુસાફરો ને લઈને એર ઈન્ડિયા નું એક વિમાન ટેકઓફ્ કર્યાના તુરંત બાદ અમદાવાદના મેઘાણીનગરમાં બી. જે. મેડિકલ કોલેજ હોસ્ટેલ ની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. બપોરે 14:20 કલાકે સમાચાર મળ્યા બાદ આરપીએફ દ્વારા 12 સભ્યો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને ઍમ્બ્યુલન્સની સાથે તુરંત કાર્યવાહી કરી.
એમ્બ્યુલન્સની સાથે ડોક્ટરો, પેરા-મેડિકલ સ્ટાફ સહિત રેલવે હોસ્પિટલની મેડિકલ ટીમે ઘાયલ વ્યક્તિઓની મદદ કરી.આરપીએફ ને માહિતી મળતાં સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર શ્રીમતી ભવપ્રીતા સોનીની સૂચના પર, શ્રી સંજય ચૌધરી એએસસી/લાઈન્સ, શ્રી મનુ છોકર આઈપીએફ અસારવા અને અન્ય રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) કર્મચારીઓ તાત્કાલિક દુર્ઘટના સ્થળ તરફ રવાના થયા.
આરપીએફ ટીમ ફર્સ્ટ રિસ્પોન્સ માં સામેલ રહી. ટીમે રાજ્ય એજન્સીઓ જેમકે એસડીઆરએફ, સિવિલ ડિફેન્સ અને કેન્દ્રીય એજન્સીઓ જેમકે સીઆઈએસએફ, એનએસજી અને મેડિકલ ટીમો સાથે મળીને રાહત અને બચાવકાર્ય શરૂ કર્યું. તેમણે મૃતકોને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં પણ મદદ કરી.
શ્રીમતી ભવપ્રીતા સોની સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર અને શ્રી અનૂ ત્યાગી સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર પણ ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે સમગ્ર ટીમને જરૂરી માર્ગદર્શન આપ્યું અને વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સુનિશ્ચિત કર્યું.