Western Times News

Gujarati News

કોઈ પસ્તાવો નથી, સમય સૌથી બળવાન : આમના શરીફ

હું એટલુ કહીશ કે એક વ્યક્તિ તરીકે પણ તે સમયે ઘણો વિકાસ કર્યાે છે. જેની માટે મે ક્યારે પણ વિચાર્યું પણ નહોતું

ત્રણ વર્ષ સુધી કામ વગર બેસી રહી હતી એક્ટ્રેસ

મુંબઈ,મુંબઈમાં ૧૬ જુલાઈ, ૧૯૮૨ના રોજ જન્મેલી આમના શરીફ ૨૦૦૦ના દાયકામાં ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય ચહેરાઓમાંની એક હતી. આમના શરીફે ૨૦૦૩માં “કહીં તો હોગા” સીરિયલમાં કશિશની ભૂમિકાથી ખૂબ નામના મેળવી હતી. આ સીરિયલમાં તેની સુંદરતાએ દર્શકોનું દિલ જીતી લીધું, અને તે ઘરે-ઘરે જાણીતી બની હતી.

પરંતુ ૨૦૧૩માં લગ્ન બાદ તેણે ટીવીથી બ્રેક લીધો. ૨૦૧૯માં તેણે “કસૌટી જિંદગી કી”માં કોમોલિકાની ભૂમિકા ભજવીને કમબેક કર્યું, જેને દર્શકોએ પસંદ કરી. ત્યાર બાદ અભિનેત્રી વર્ષ ૨૦૨૨માં વેબ સીરિઝ ડેમેજ સિઝન ૩ અને આધા ઈશ્કમાં જોવા મળી હતી. ત્રણ વર્ષના લાંબા સમય પછી આમના શરીફે ટેલિવિઝનથી બોલિવૂડમાં કમબેક કર્યું છે.

આમનાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેણે તેની મરજી મુજબ કામ પર બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો. તેણે કહ્યું કે ‘ મેં મારા જીવનમાં બધી રીતે ઉતાર-ચઢાવ જોયા છે, મારી પાસે કોઈ કામ નહોતું. કેટલાક સમયથી નહીં કેટલાક વર્ષાેથી હું કામ વગર બેસી રહી છું. મને ખબર છે કે મારો નિર્ણય ખોટો હતો, પણ હું એટલું જ કહીશ કે મને કોઈ પસ્તાવો નથી કે મે આટલો લાંબો બ્રેક લીધો. મને લાગે છે એકટરના જીવનનો આ એક ભાગ હોય છે, દરેક એક્ટરના જીવનના સફરમાં આ બાબતો પણ તેના હિસ્સે આવે છે. પરંતુ મેં એક એક્ટ્રેસ તરીકે ઘણો વિકાસ કર્યાે છે. આ જીવનના તબક્કાએ મને ઘણી બધી વસ્તુઓની કિંમત કરવાનું શીખવ્યું છે. હું એટલુ કહીશ કે એક વ્યક્તિ તરીકે પણ તે સમયે ઘણો વિકાસ કર્યાે છે. જેની માટે મે ક્યારે પણ વિચાર્યું પણ નહોતું’ SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.