અમદાવાદ વિમાન દુર્ઘટના: કુલ 15 મૃતકોનાં DNA મેચ થયા

વધુ ચાર મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા
સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે રાત્રે 9:45 કલાકે મીડિયા બ્રીફિંગમાં માહિતી આપી
Ahmedabad, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વધુ ચાર મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા છે. આમ, અત્યાર સુધીમાં કુલ 15 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા છે.
અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલુ્ AI171 વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે રાત્રે 9:45 કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી.
DNA સેમ્પલ મેચ થયા છે તે પાર્થિવદેહ આવતીકાલે પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવાની વ્યવસ્થા હાલ ગોઠવાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.