Western Times News

Gujarati News

ગૌરીકુંડના જંગલોમાં ક્રેશ થયું કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, ૭ લોકોના મોત

(એજન્સી) દેહરાદૂન, ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર સવારે ૫.૨૦ વાગ્યે ગૌરીકુંડના જંગલોમાં ક્રેશ થયું. આ અકસ્માતમાં કુલ ૭ લોકોના મોત થયા છે. આ સાત લોકોમાં એક ગુજરાતના વ્યક્તિ હોવાની માહિતી સામે આવી રહી હતી.

પરંતુ વધારે તપાસમાં તે વ્યક્તિ મહારાષ્ટ્રનો વ્યક્તિ હોવાની પુષ્ટી થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આર્યન કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માત ગૌરીકુંડ અને ત્રિજુગીનારાયણ નારાયણ વચ્ચે થયો હતો. હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ ખરાબ હવામાન હોવાનું કહેવાય છે.

તે જ સમયે, આ અકસ્માતની માહિતી આપતા, ઉત્તરાખંડના એડીજી લો અને ઓર્ડર, ડૉ. વી મુરુગેશે જણાવ્યું હતું કે, દેહરાદૂનથી કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડમાં ક્રેશ થયું હતું. સીએમ પુષ્કર સિંહ ધામીએ આ ઘટના અંગે નિવેદન જારી કર્યું છે.

ઉત્તરાખંડના કેદારનાથમાં આજે સવારે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા લોકોની ઓળખ થઈ ગઈ છે. આ અકસ્માતમાં ૭ લોકોના મોત થયા છે અને મૃતકોમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં મ્દ્ભ્‌ઝ્રના એક કર્મચારીનો પણ જીવ ગયો છે. મૃતકોની યાદીમાં ૨ મહિલાઓના નામ પણ સમાવેશ થાય છે.

ક્રેશ થયેલ હેલિકોપ્ટર કેદારનાથના દર્શન કર્યા પછી ભક્તો સાથે ગૌરીકુંડ માટે ઉડાન ભરી હતી. જ્યાં અકસ્માત થયો તે સ્થળ એક દૂરસ્થ વિસ્તાર છે. મહત્વનું છે કે,ઉત્તરાખંડના ચારધામમાંથી એક એવા કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટના બની છે. જેમાં ૭ લોકોના મોત થયા છે. દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં કેટલાક ગુજરાતી હોવાની પણ આશંકા હતી, પરંતુ પાછળથી તેમાં રદિયો આપ્યો છે.

હેલિકોપ્ટરમાં નીચે મુજબના લોકો સવાર હતા

૧. શ્રદ્ધા રાજકુમાર જયસ્વાલ (૩૫ વર્ષ – મહારાષ્ટ્ર)
૨. રાશી (૧૦ વર્ષ – મહારાષ્ટ્ર)
૩. રાજકુમાર સુરેશ જયસ્વાલ (૪૧ વર્ષ – મહારાષ્ટ્ર)
૪. વિક્રમ (કેદારનાથ ઉત્તરાખંડ)
૫. વિનુદ દેવી (૬૬ વર્ષ – ઉત્તર પ્રદેશ)
૬. તુસ્તી સિંહ (૧૯ વર્ષ – ઉત્તર પ્રદેશ)
૭. કેપ. રાજવીર સિંહ ચૌહાણ (પાયલોટ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.