Western Times News

Gujarati News

અત્યાર સુધી કુલ ૩૨ મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા, ૧૪ મૃતદેહ પરિવારજનો સોંપાયા

જેમાં અમદાવાદના ૪વડોદરાના ૨ ખેડા ૧,  અરવલ્લી ૧ બોટાદના ૧મહેસાણા ૪ઉદયપુર ૧નો સમાવેશ થાય છે.

સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે બપોરે ૧૨.૦૦ કલાકે મીડિયા બ્રીફિંગમાં માહિતી આપી

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૩૨ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. ૩૨ના પરિવારના સંપર્ક કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૪ મૃતદેહ પરિવારજનો સોંપાયા છે.

અમદાવાદમાં ૧૨મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલુ AI171 વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે  બપોરે  ૧૨.૦૦ કલાકે મીડિયા બ્રીફિંગ  દરમિયાન આ માહિતી આપી હતી.

 જે મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે તેમના પાર્થિવદેહને પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કેદરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારીપોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.