Western Times News

Gujarati News

100 લોકોની ક્ષમતા હતી અને પુલ પર 500 લોકો એકઠા થયાઃ 30 તણાયા

પુલની ક્ષમતા લગભગ ૧૦૦ લોકોની હતી, પરંતુ રવિવાર રજાનો દિવસ હોવાથી તેના પર લગભગ ૫૦૦ લોકો એકઠા થયા હતા.

પૂણેમાં પુલ ધરાશાયી થતાં ૩૦ લોકો તણાયા, ૬ મૃતદેહ મળ્યા-મોરબી પુલ દુર્ઘટનાની યાદ તાજી થઈ

પુના, મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદના કારણે પૂણેની ઈન્દ્રાયણી નદી પર આવેલો પુલ તૂટી પડ્‌યો છે. આ દુર્ઘટનામાં ૨૫થી ૩૦ લોકો તણાયા હોવાના અહેવાલો મળ્યા છે. ઘટના સ્થળ પર ૧૫ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પૂણે ગ્રામીણ વિસ્તાર કુંદમાલામાં ભારે વરસાદના કારણે ઈન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. જેમાં ૨૫થી ૩૦ પ્રવાસીઓ તણાયા હોવાની માહિતી મળી છે. તમામ પુલ પર ઉપસ્થિત હતાં. આ ઘટના પૂણેના માવલ તાલુકાની છે. અહીંનું કુંદમાલા તેના કુદરતી સૌંદર્યના કારણે પ્રચલિત પ્રવાસન સ્થળ છે.

પોલીસ, ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં પાંચથી છ લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. માવલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તેમાં આજે રજાનો દિવસ (રવિવાર) હોવાના કારણે પ્રવાસીઓની ભીડ વધુ હતી. ઈન્દ્રાયણી નદીમાં જળ સ્તર વધ્યું હોવાથી આસપાસના લોકો દ્રશ્ય નિહાળવા આવ્યા હતાં.

પરંતુ અચાનક પુલ તૂટી પડતાં લોકો તણાયા હતાં. ધારાસભ્ય સુનિલ શેલ્કેએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૬ લોકોના મોત થયા છે. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. ૬ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ત્યારે થયો જ્યારે ઘણા લોકો નદીના જોરદાર પ્રવાહને જોવા માટે ઉભા હતા. અકસ્માત સ્થળ પુણેથી ૩૦ કિમી દૂર છે, લોકો વીકેન્ડની ઉજવણી કરવા માટે અહીં પહોંચે છે પુણેથી કુંડમાલાનું અંતર ૩૦ કિમી છે. આ સ્થળ મુંબઈ જતા માર્ગ પર એક્સપ્રેસ વેમાં પ્રવેશતા પહેલા સ્થિત છે. સપ્તાહના અંતે હજારો લોકો અહીં પહોંચે છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ પુલ પહેલાથી જ ખૂબ જ ખરાબ અને જર્જરિત સ્થિતિમાં હતો. અકસ્માત સમયે પુલ પર તેની ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓ હતા. લોકો ટુ-વ્હીલર અને મોટરસાયકલ લઈ જઈ રહ્યા હતા. આ કારણોસર પુલ વજન સહન કરી શક્યો નહીં.

પુલની ક્ષમતા લગભગ ૧૦૦ લોકોની હતી, પરંતુ રવિવાર રજાનો દિવસ હોવાથી તેના પર લગભગ ૫૦૦ લોકો એકઠા થયા હતા. આ અકસ્માતનું કારણ બન્યું. પુલ તૂટી પડવાથી જ્યાં લોકો પડી ગયા ત્યાં ૧૫ ફૂટ સુધી પાણી હતું. કેટલાક લોકો તરીને બહાર નીકળી ગયા.

પરંતુ બાકીના લોકોને બચાવી શકાયા નહીં.પિંપરી ચિંચવાડ, પુણે ઝોન ૨ ડીસીપી વિશાલ ગાયકવાડે જણાવ્યું હતું કે, “તે એક જૂનો જર્જરિત લોખંડનો પુલ હતો જે સાંજે ૪ વાગ્યાની આસપાસ તૂટી પડ્‌યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ૨ લોકોના મોત થયા છે અને ૫-૭ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવ કામગીરી માટે દ્ગડ્ઢઇહ્લ અને સ્થાનિક પોલીસને તૈનાત કરવામાં આવી છે.”

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પુલ તૂટી પડ્‌યો છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કેટલાક લોકો ફસાયેલા છે, દ્ગડ્ઢઇહ્લની ટીમ તેમને બચાવવા માટે ઘટનાસ્થળે પહોંચી રહી છે. કેટલાક લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે, પરંતુ આ અંગે કે કોઈ જાનહાનિની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેથી, આ સમયે આ અંગે કંઈ કહેવું યોગ્ય રહેશે નહીં.

પ્રાથમિક માહિતી મુજબ, આ પુલ પહેલાથી જ ખૂબ જ ખરાબ અને જર્જરિત હાલતમાં હતો. અકસ્માત સમયે પુલ પર તેની ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ હતા અને તેના પર ભારે મોટરસાયકલ પણ લઈ જવામાં આવી રહી હતી. બચાવ ટીમને પુલના કાટમાળમાંથી એક ટુ વ્હીલર પણ મળી આવ્યું છે. પુલ પર વાહનો ચાલી રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.