Western Times News

Gujarati News

કાંતારાની શૂટિંગ દરમિયાન ફરી દુર્ઘટના

કાંતારાની સફળતા બાદ ફિલ્મ ડાયરેક્ટર અને મુખ્ય એક્ટર ઋષભ શેટ્ટીએ આ ફિલ્મ બનાવવાની મંજૂરી લીધી હતી

ઋષભ શેટ્ટી સહિત ૩૦ ક્રૂ મેમ્બર્સને લઈ જતી બોટ પલટી, જાનહાનિ ટળી

મુંબઈ, સાઉથ સુપર સ્ટાર ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપ્ટર ૧ના મેકર્સ હાલમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન સતત કોઈને કોઈ દુર્ઘટના બનતી રહે છે. હાલમાં જ શૂટિંગ દરમિયાન જ એક્ટર કલાભવન નીજૂનું નિધન થયું છે. તો હવે ફિલ્મના શૂટિંગ દરમિયાન એક બોટ પલટી ખાઈ ગઈ હતી.

જેમાં રિપોર્ટ પ્રમાણે ૩૦ ક્રૂ મેમ્બર સવાર હતા. આ દુર્ઘટના શિવમોગા જિલ્લાના મસ્તી કટ્ટે વિસ્તારમાં આવેલા મણિ જળાશયમાં બની હતી. જો કે પોલીસના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં તમામ લોકો સુરક્ષિત છે અને કોઈ પણ પ્રકારનું નુકસાન થયાના સમાચાર નથી. કાંતારાની સફળતા બાદ ફિલ્મ ડાયરેક્ટર અને મુખ્ય એક્ટર ઋષભ શેટ્ટીએ આ ફિલ્મ બનાવવાની મંજૂરી લીધી હતી. પરંતું મે મહિનામાંથી આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કોઈને કોઈ દુર્ઘટના બનતી જોવા મળી રહી છે.

બોટ પલટી જવાની આ દુર્ઘટનામાં ભલે કોઈ વ્યક્તિને ઈજા નથી થઈ, પરંતુ આ દરમિયાન મોંઘા કેમેરા અને અન્ય મોંઘો સામાન પાણીમાં ડુબી ગયો છે. પોલીસે હાલમાં આ દુર્ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે. મીડિયા સાથે વાત કરતાં રામદાસ પુજારીએ કહ્યું કે, સાઉથ કન્નડની આત્માઓ પર ફિલ્મ બનાવવી હંમેશા જોખમી રહી છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે, ત્યાંના આત્માઓ તેમની પ્રવૃત્તિઓનું વ્યાપારીકરણ કરવાનું પસંદ નથી કરતી. પરંતુ ઋષભ શેટ્ટીએ આ ફિલ્મનું શૂટિંગ કરતા પહેલા દેવતાની પૂજા પણ કરી હતી અને તેમણે આ ફિલ્મના શૂટિંગ માટે પરવાનગી પણ લીધી હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.