ઇમ્તિઆઝ અલીએ શર્વરી, વેદાંગ રૈના અને દિલજિત સાથે ફિલ્મની જાહેરાત કરી

ઇમ્તિઆઝ અલી તેમની પોતાની શૈલીમાં લાગણીસભર ફિલ્મ બનાવશે
ઇમ્તિઆઝ અલીએ કહ્યું, આ એક છોકરા અને છોકરીની સ્ટોરી છે, પણ અમાં દેશની વાત પણ છે
મુંબઈ,ઇમ્તિઆઝ અલી પોતાની અલગ પ્રકારની વાર્તાઓ સાથે ભારતીય સિનેમામાં પ્રેમને નવી વ્યાખ્યા આપવા માટે જાણીતા ફિલ્મ મેકર છે, તેમણે હવે એક નવી ફિલ્મની જાહેરાત કરી છે. ફરી એક વખત આ ફિલ્મ પ્રેમ, વિરહ અને ઓળખની વાત કરતી ફિલ્મ હશે, જે ૨૦૨૬ની બૈસાખી પર રિલીઝ થશે. ઓગસ્ટ ૨૦૨૬માં જ આ ફિલ્મનું શૂટિંગ શરુ થઈ જશે. તેમાં પણ આ વખથે દિલજિત દોસાંજ, નસિરુદ્દીન શાહ, વેદાંગ રૈના અને શર્વરી વાઘ મુખ્ય રોલમાં હશે. આ એક આજના સમયે માનવ સંબંધિત લાગણીઓની, મુશ્કેલીઓની વાત છે, જે દર્શકોને સ્પર્ષી જશે.
ઇમ્તિઆઝ અલી તેમની પોતાની શૈલીમાં લાગણીસભર ફિલ્મ બનાવશે, જેનો વિષય વાસ્તવિક હશે અને કાવ્યાત્મક પણ હશે. ઇમ્તિઆઝ અલી આ ફિલ્મ વિશે કહ્યું કે આ ફિલ્મનું ‘હ્રદય ઘણું વિશાળ હશે’ અને ‘અંગત હોવા છતોં તેનો ફલક વિશાળ’ હશે. ઇમ્તિઆઝ અલીએ કહ્યું, “આ એક છોકરા અને છોકરીની સ્ટોરી છે, પણ અમાં દેશની વાત પણ છે.” જ્યારે ફિલ્મની ભાવનાત્મક વાત કરતા કવિ મોમિનનું એક વાક્ય ટાંકતા ઇમ્તિઆઝ અલીએ કહ્યું, “તુમ મેરે પાસ હોતે હો ગોયા, જબ કોઈ દુસરા નહીં હોતા” શું પ્રેમ ખરેખર ખોવાઈ શકે? શું કોઈ કોઈના મનમાંથી ઘરને દૂર કરી શકે?
ફરી એક વખત આ ફિલ્મમાં ઇમ્તિઆઝ અલી, ઇર્શાદ કામિલ અને એ.આર.રહેમાનની ત્રિપુટીનું સંગીત જોવા સાંભળવામાં દર્શકોને મજા આવશે. આ પહેલાં રોકસ્ટાર, હાઇવે અને તમાશામાં તેમનું સંગીત લોકોને ઘણું પસંદ પડ્યું છે. આ ફિલ્મ ૨૦૨૬ની બૈસાખી પર રિલીઝ થવાની છે, ત્યારે આ ફિલ્મ તહેવારોના માહોલમાં ફિલ્મ વધુ સારી ચાલશે એવી આશા છે, બાકી હજુ આ ફિલ્મના નામ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મમાં હાસ્ય, દુઃખ, પરંપરાઓ, આધુનિકતા, લાગણીઓ અને સામાજિક રાજકીય દૃષ્ટિકોણ પણ જોવા મળશે. ટૂંક સમયમાં ફિલ્મનું કામ શરૂ થઈ જશે.SS1