Western Times News

Gujarati News

GST તેના નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યું તે સમગ્ર પ્રક્રિયા ગેમ ચેન્જર સાબિત થઈ છેઃ CGSTના ચીફ કમિશનર 

GCCI ઇનડાયરેક્ટ ટેક્સ ટાસ્કફોર્સ દ્વારા તારીખ ૧૬મી જૂન, ૨૦૨૫ ના રોજ GST કોન્ક્લેવનું સફળ આયોજન.

GST કોમ્પ્લાયન્સ બાબતે હજી ઘણા પડકારો છે જેનો ઉકેલ લાવવો જરૂરી છે: એસોચેમ, જૈમિન શાહ

GCCI ઇનડાયરેક્ટ ટેક્સ ટાસ્ક ફોર્સે તારીખ 16મી જૂન, 2025 ના રોજ GST કર વ્યવસ્થાની સિદ્ધિઓ, પડકારો અને ભાવિ રોડમેપ વિશે ચર્ચા કરવા માટે એક GST કોન્ક્લેવનું આયોજન કર્યું હતું.

Ahmedabad, CGST અમદાવાદ સાઉથના પ્રિન્સિપાલ કમિશ્નર શ્રી સંજય બંસલે કોન્કલેવમાં ભાગ લેનારા સહુનું સ્વાગત કર્યું હતું. તેઓએ સમગ્ર સીજીએસટી કાર્યવાહીને પેપરલેસ તેમજ કોન્ટેક્ટલેસ બનાવવા વિશે વાત કરી હતી  કે જેથી કરદાતાઓને ટેક્સની ચુકવણી બાબત સરળતા પ્રાપ્ત થાય. તેઓએ CGST વિભાગની વિવિધ આઉટરીચ પ્રવૃત્તિઓ વિશે પણ વાત કરી હતી તેમજ ઉદ્યોગો દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકારો નો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા GCCI ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અપૂર્વ શાહે ખાસ નોંધ લીધી હતી કે આપણા દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સનો અમલ એક મોટી સિદ્ધિ સાબિત થયેલ છે કેમ કે આપણા દેશના ફેડરલ સ્ટ્રક્ચર ને ધ્યાનમાં લેતા આ કાર્ય ખૂબ જ કઠિન હતું પરંતુ સરકારશ્રીએ દ્રઢ મનોબળ થી તે શક્ય બનાવ્યું છે.

GST થકી “એક રાષ્ટ્ર એક કર” વ્યવસ્થાનો સંપૂર્ણ શ્રેય દેશના નેતૃત્વને જાય છે. તેમણે ટિપ્પણી કરી હતી કે “એક રાષ્ટ્ર – એક કર” ની વ્યવસ્થાએ કરવેરા લેન્ડસ્કેપને સરળ બનાવેલ છે તેમજ, વિવિધ કારની સામુહિક કાસ્કેડિંગ અસર ઘટાડવામાં મદદ કરી છે.  તેમણે તે બાબતની પણ ખાસ નોંધ લીધી હતી કે GCCI એ રાજ્યના વેપાર-ઉદ્યોગ અને GST વિભાગ વચ્ચે સેતુ બનવામાં સાતત્યપૂર્ણ ભૂમિકા નિભાવેલ છે તેમજ તે અન્વયે સમગ્ર વર્ષ દરમિયાન અનેકવિધ સેમિનાર અને વર્કશોપ દ્વારા માર્ગદર્શન અને સૂચનો પૂરા પાડવામાં આવેલ છે.

તેમણે CGST, અમદાવાદ ઝોનના ચીફ કમિશનર શ્રી સુનીલકુમાર મલ, પ્રિન્સિપાલ કમિશ્નર CGST અમદાવાદ સાઉથ શ્રી સંજય બંસલ, GCCI ના માનદ મંત્રી શ્રી ગૌરાંગભાઈ ભગત, એસોચેમ ગુજરાતના કો. ચેરમેન શ્રી જૈમિન શાહ, ફિક્કી ચેરમેન શ્રી રાજીવ ગાંધી, GCCI ઈન્ડાયરેક્ટ ટેક્સ ટાસ્કફોર્સનાં સભ્ય CA શ્રી નિતેશ જૈન તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની ખાસ નોંધ લીધી હતી. તેમણે આ મહત્વપૂર્ણ કોન્ક્લેવનું આયોજન કરવા બદલ GCCI પરોક્ષ કર ટાસ્કફોર્સ તેમજ ચેરમેન શ્રી નયન શેઠને  પણ અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે સંબોધન કરતા જોઈન્ટ કમિશનર મિસ કૃતિ તિવારીએ ભારતીય અર્થતંત્ર પર GST ની અસર વિશે ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ છેલ્લા ચાર વર્ષ દરમિયાન GST કલેક્શન માં થયેલા વધારા વિશે માહિતી આપી હતી. તેઓએ GST કરદાતાઓની સંખ્યા માં થયેલ ખુબ નોંધપાત્ર વધારા વિશે પણ વાત કરી હતી. તેમણે ગુજરાત રાજ્યમાંથી એકત્રિત થયેલા GST ના ખુબ મોટા હિસ્સા નો ઉલ્લેખ કર્યો હતો. તેમજ GST વિભાગ દ્વારા સમગ્ર કાર્યવાહીને સરળ બનાવવા માટે વિભાગ દ્વારા લેવામાં આવેલ વિવિધ પગલાં વિશે સમજ આપી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે GST દ્વારા સામાન્ય લોકોના જીવન પર મોટી સકારાત્મક અસર પડેલ  છે.

એસોચેમ, ગુજરાતના કો. ચેરમેન, શ્રી જૈમિન શાહે ઉલ્લેખ કર્યો હતો કે GST કોમ્પ્લાયન્સ બાબતે હજી ઘણા પડકારો છે જેનો ઉકેલ લાવવો જરૂરી છે. તેઓએ તે બાબતે ખાસ નોંધ લીધી હતી કે આપણા દેશમાં GSTનો અમલ અન્ય દેશો કરતાં ઘણો સરળ તેમજ કાર્યક્ષમ રહ્યો છે. તેમણે GST ની સમગ્ર કાર્યવાહી માટે AI ટેકનોલોજી તેમજ સાયબર સુરક્ષા ના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

FICCI, ગુજરાતના ચેરમેન શ્રી રાજીવ ગાંધીએ GST ની કાર્યવાહી માં પારદર્શક ઇકો સિસ્ટમ તેમજ યુનિફાઇડ કર વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. તેમણે કરદાતા દ્વારા કોમ્પ્લાયન્સ બાબતે પદ્ધતિમાં સરળીકરણ લાવવા ભાર મૂક્યો હતો. તેમણે તે બાબતે ખાસ પ્રશંસા કરી હતી કે GST દ્વારા વ્યાપાર અને ઉદ્યોગ ની સમગ્ર વ્યવસ્થા માં આમૂલ પરિવર્તન આવેલ છે.

આ પ્રસંગે GCCI ઇનડાયરેક્ટ ટેક્સ ટાસ્ક ફોર્સ ના ચેરમેન શ્રી નયન શેઠે GST માળખાના બંધારણ, GST ની નોંધપાત્ર સિદ્ધિઓ અને GST બાબતે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના વિકાસ તેમજ સરળ અને સરળ GST પોર્ટલની પ્રશંસા કરી હતી. તેઓએ સરકાર અને GST વિભાગના સંપર્ક ની પ્રક્રિયામાં સરળતા અને રિફંડની પણ સરળતાથી મંજૂરી થાય તેવી પ્રક્રિયા પર ભાર મૂક્યો હતો. તેમણે નાના વેપારીઓ માટે GST નોંધણી પ્રક્રિયા અને થ્રેશોલ્ડ મર્યાદા વિશે પણ ઉલ્લેખ કર્યો હતો અને નોંધણીની તારીખ થી જ નોંધણી બાબત મંજૂરી પ્રાપ્ત થાય તેવી વિનંતી કરી હતી.

નોંધણી થ્રેશોલ્ડ મર્યાદા ઓળંગી જાય તે તારીખથી અથવા સમયસર ફાઇલ ન કરવામાં આવે તો અરજીની તારીખથી મંજૂર થવી જોઈએ. તેઓએ નાના વેપારીઓ માટે GST નોંધણી પ્રક્રિયા અને થ્રેશોલ્ડ મર્યાદા નો પણ ઉલ્લેખ કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે નોંધણી થ્રેશોલ્ડ મર્યાદા ઓળંગી જાય તે તારીખથી અથવા અરજીની તારીખથી કે જે કિસ્સાઓમાં આવી અરજી સમયસર ફાઈલ કરવામાં આવી ના હોય.

તેમણે આગ્રહ રાખ્યો હતો કે GST ટ્રિબ્યુનલ વહેલી તકે કાર્યરત થાય તેમજ તેઓએ GST વિભાગ દ્વારા સેક્શન 74 નો આધાર લેવાની પ્રથા અંગે પણ અફસોસ વ્યક્ત કર્યો હતો અને તે ખાસ તેવા કિસ્સાઓમાં કે જ્યારે છેતરપિંડી, ઇરાદાપૂર્વક ખોટી માહિતી અથવા હકીકતો દબાવવામાં આવેલ ના હોય.

GCCI ઇન્ડાયરેક્ટ ટેક્સ ટાસ્કફોર્સના સભ્ય, CA શ્રી નિતેશ જૈને આપણા દેશમાં GSTના ખુબ કાર્યક્ષમ અમલીકરણ વિશે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે જેનાથી “એક રાષ્ટ્ર એક કર” ની ભાવના પરિપૂર્ણ થયેલ છે. તેમણે GST કલેક્શન ની પણ પ્રશંસા કરી હતી. તેઓએ GST બાબતને લગતા વિવિધ લીટીગેશન ના ઝડપી નિરાકરણ માટે પણ વિનંતી કરી હતી.

અમદાવાદ ઝોનના CGSTના ચીફ કમિશનર શ્રી સુનીલકુમાર મલે તેમના વક્તવ્યમાં GSTની વિભાવના “એક રાષ્ટ્ર એક કર” બાબતે ખાસ ભાર મૂક્યો હતો. તેઓએ કર માળખાના સતત સરળીકરણ, ભાવ બાબતે મિકેનિઝમ અને વિવિધ નોટિસના કાર્યક્ષમ નિકાલ વિશે વાત કરી હતી. તેઓએ કાર્યક્ષમ કર પાલન ની પણ પ્રશંસા કરી હતી. તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે GST તેના નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરી શકેલ છે અને સમગ્ર પ્રક્રિયા ગેમ ચેન્જર સાબિત થયેલ છે.  પ્રશ્નોતરી સત્ર દરમિયાન, વિવિધ પ્રશ્નો ના જવાબ CGSTના એડિશનલ કમિશનર શ્રી સચિન ગુસિયાએ આપ્યા હતા. શ્રીમતી સુમંગલા શર્મા, સંયુક્ત કમિશનર દ્વારા આભારવિધિ પછી કોન્ક્લેવનું સમાપન થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.