દિવ્યા દત્તાને પણ સલમાન-સુષ્મિતાની જેમ લગ્ન કરવાની ઈચ્છા નથી

દિવ્યા દત્તા છેલ્લે ‘છાવા’માં જોવા મળી હતી
સારો પાર્ટનર મળે તો જ જીવન સાર્થક થયું હોવાનું અગાઉ માનતી હતી, પણ ખોટી ઠરીઃ દિવ્યા
મુંબઈ,સલમાન ખાન અને સુષ્મિતા સેન જેવા બોલિવૂડ સ્ટાર્સની જેમ દિવ્યા દત્તાને પણ લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. દિવ્યા દત્તાનું માનવું છે કે, લગ્ન કરવાના બદલે અર્થસભર સાથીદાર મળે તે વધારે જરૂરી છે. સારો પાર્ટનર મળે અને લગ્ન કરી લીધા હોય તો ઠીક છે, પરંતુ તેવું ન થાય તો પણ જીવન સારી રીતે જ ચાલી રહ્યું છે. લગ્નજીવનમાં તણાવ અને નિષ્ફળતાનો ભોગ બનવાના બદલે પોતાની જાત પર જ ધ્યાન આપવાનુ દિવ્યાને પસંદ છે. દિવ્યાએ કહ્યું હતું કે, સંબંધો સાચવવા પોતાની ગરિમા ગુમાવવી પડે તો આવા સંબંધો કબૂલ નથી.
તેના બદલે પોતાની જાતને જ પ્રેમ કરવો જોઈએ. જીવનમાં ઘણાં બધા પુરુષોએ તેના પર ધ્યાન આપ્યું હતું. પુરુષો એટેન્શન આપતા હોવાનું ગમે છે, પરંતુ મનને સ્પર્શી શકે તેની સાથે જ રિલેશનશિપ હોવા જોઈએ. વ્યક્તિ તમારો હાથ નહીં છોડે તેવું લાગવું જોઈએ. આવો અનુભવ ન થાય તો આસપાસ ઘણાં સારા મિત્રો અને પોતાની જાત સાથે મજા કરવાની છે. જીવનની સફરને સારી રીતે માણી શકાય તેવા સાથીદાર સાથે રિલેશનશિપ રાખવાની દિવ્યાની ઈચ્છા છે, પરંતુ લગ્ન કરવાની તેની કોઈ ઈચ્છા નથી. લગ્ન નહીં કરવા છતાં તે ખુશ છે.
એક મિત્ર સાથેની ચેટ અંગે વાત કરતા દિવ્યાએ જણાવ્યું હતું કે, તું સુંદર, આકર્ષક અને લાગણીશીલ હોવા છતાં સિંગલ કેમ છે? જવાબમાં મેં કહ્યું હતું, ઓવરક્વોલિફાઈડ હોવાથી લગ્ન થતા નથી. જીવનને સંપૂર્ણ બનાવવા માટે બહાર નજર દોડાવવાની સજરૂર નથી. સારો પાર્ટનર મળે તો જ જીવન સાર્થક થસે તેવી માન્યતા એક જમાનામાં દિવ્યા દત્તા પણ ધરાવતી હતી.આ માન્યતા ખોટી ઠરી હતી અને તેન પગલે અભિગમ પણ બદલાયો હતો. દિવ્યા દત્તા છેલ્લે ‘છાવા’માં જોવા મળી હતી. દિવ્યાની આગામી ફિલ્મ નાસ્તિક છે. જેમાં અર્જુન રામપાલ પણ મહત્ત્વના રોલમાં છે. SS1