SMCના પીઆઈનું ઘર લૂંટાયું! લૂંટારુઓએ કડા માટે માતાના પગ કાપી નાંખ્યા

બનાસકાંઠામાં અરેરાટીભર્યો બનાવ બન્યો-પીઆઇના વૃદ્ધ માતા-પિતાને અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા
(એજન્સી) પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના લાખણીના જસરા ગામે ખેતરમાં સુતેલા દંપતીની ઘાતકી હત્યા કરી લૂંટ ચલાવતા હડકમ્પ મચ્યો છે. ખુદ એસએમસી પીઆઇના વૃદ્ધ માતા-પિતાને અજાણ્યા શખ્સઓએ તક્ષિણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા છે.
તો વૃદ્ધ મહિલાના પગ કાપી હત્યારા પગમાં પહેરેલા કડા સહીત શરીર પર પહેરેલા દાગીના લઇ રફુચક્કર થઈ ગયા છે. જોકે ઘટનાની જાણ થતા બનાસકાંઠા એસપી એલસીબી, એસઓજી, ડોગ સ્કવાર્ડ અને એફએસએલ ની ટિમો સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટનાને લઇ તપાસ હાથ ધરી તો પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સોએ લૂંટ અને ઇરાદે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે તો લૂંટ સિવાયની અન્ય દિશાને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આજના આ ઘોર કળિયુગમાં પૈસા, જમીન અને અદાવતને લઇને કાળા માથાનો માનવી કંઈ પણ કરી બેસતો હોય છે. પૈસા સહિતના અન્ય કારણોને લઈને માટે કાળા માથાનો માનવી કોઈની પણ હત્યા કરતા જરાય વિચાર નથી કરતો આવો જે કિસ્સો બન્યો છે
બનાસકાંઠા જિલ્લામાં ખુદ સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઇના માતા-પિતાની કૃર હત્યા થઈ ગઈ છે. અને આ હત્યા પણ લૂંટના ઇરાદે થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એ વી પટેલ મૂળ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામના વતની છે.
ગઈકાલે મોડી રાત્રે પીઆઇ એ વી પટેલના પિતા વર્ધાભાઈ પટેલ અને માતા હોસીબેન પટેલ પોતાના ખેતરમાં બનાવેલા મકાનના આંગણામાં સુતા હતા. અને તે જ સમયે અજાણ્યા શખ્સો તેમના ખેતરમાં થઈ ઘર તરફપહોંચ્યા અને ઘરના આંગણામાં સુતા વર્ધાભાઈ પટેલ અને તેમના પત્ની હોશીબેન પટેલને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી બંનેની ક્રૂર હત્યા કરી દીધી.
જોકે આ હત્યારાઓએ એટલી કૃરતા પૂર્વક હત્યા કરી કે દંપતી માંથી પત્ની હોશીબેનના પગમાં રહેલા કડલા કાઢવા માટે તેમના પગ કાપી નાંખ્યા. તો કાનમાંથી બુટ્ટીઓ લેવા માટે કાન કાપી નાંખ્યા. તો વૃદ્ધ વરધાભાઈનું ગળું કાપી નાંખ્યું અને બંનેને મોતને ઘાટ ઉતારી દીધા.
જોકે વહેલી સવારે આંગણામાં પડેલા લોહીથી લથપથ દંપતીના મૃતદેહોને જોઈ લોકોએ ઘટનાની જાણ આગથળા પોલીસને કરતા બનાસકાંઠા પોલીસ વડા સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. અને પોલીસે એસઓજી, એલસીબી, ડોગ્સ સ્કવાર્ડ અને એફએસએલની ટીમની મદદથી તપાસ હાથ ધરી તો પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું હાલ સામે આવ્યું છે.
જોકે પોલીસે ઘટના સ્થળે રહેલા પુરાવા એકત્ર કરી એફએસએલની ટીમને સોંપ્યા છે તો ડોગસકોર્ડની મદદથી આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. આ હત્યારાઓએ હત્યા કયા કારણોસર કરી. અને હત્યા કર્યા બાદ આ હત્યારાઓ ક્્યાં ફરાર થયા તે દિશામાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
પરંતુ ઉલ્લેખનીય છે કે હત્યાનો ભોગ બનનાર વૃદ્ધ દંપતી એ ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઇના માતા પિતા હોવાથી આ હત્યા પાછળ અનેક શંકા કુશંકાઓ સેવાઇ રહી છે. જોકે અત્યારે તો આ હત્યાની ઘટના ને લઇ ગામમાં શોકનો માતમ છવાયો છે. અને લોકો તાત્કાલીક પોલીસ હત્યારાઓને ઝડપી કડકમાં કડક સજા કરે તેવી માંગ કરી રહ્યા છે.
આ ઘટના વિશે ગામના આગેવાન મહેશ દવેએ જણાવ્યું કે, મને ઘટનાની જાણ થઈ એટલે મેં બનાસકાંઠા પોલીસ વડાને જાણ કરી. તો બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, આગથળા પોલીસ મથકના જસરા ગામની સિમમાં આ હત્યાની ઘટના બની છે. પ્રાથમિક તપાસમાં લૂંટને ઇરાદે હત્યા થઈ હોવાનું દેખાયું છે.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ ઘટના પર પ્રતિક્રીયા આપતા કહ્યું કે, ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પટેલના માતા-પિતાની ક્રૂર હત્યાના સમાચાર અત્યંત દુઃખદ અને આઘાતજનક છે.