ખોમેનીએ કહ્યું-યહૂદી શાસન પર કોઈ દયા નહીં રાખીએ ઈરાનીઓ માર્યા ગયા છે

છેલ્લા ૫ દિવસ દરમિયાન ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં ૨૨૪
ઈરાને ઈઝરાયલ સામે સત્તાવાર રીતે યુદ્ધની ઘોષણા કરી
નવી દિલ્હી,ઈરાની સુપ્રીમ લીડર ખોમેનીએ કહ્યું- યુદ્ધ શરૂઃયહૂદી શાસન પર કોઈ દયા નહીં રાખીએ, ઈઝરાયલ પર મિસાઈલ એટેક ચાલુઈરાને ઈઝરાયલ સામે સત્તાવાર રીતે યુદ્ધની ઘોષણા કરી છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ બુધવારે ઠ પર લખ્યું – હૈદરના નામે યુદ્ધ શરૂ થાય છે. અમે આતંકવાદી યહૂદી શાસનને કડક જવાબ આપીશું. અમે તેમના પર કોઈ દયા નહીં બતાવીએ. આ પછી, ઈરાન તરફથી ઈઝરાયલ પર ૨૫ મિસાઈલ છોડવામાં આવી.બીજી તરફ, કેનેડાથી પરત ફર્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે બેઠક યોજી હતી. આ પછી, અમેરિકાએ મધ્ય પૂર્વમાં વધુ ફાઇટર જેટ મોકલવાનો નિર્ણય લીધો.અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ખૂબ સારી રીતે જાણે છે કે સુપ્રીમ લીડર ક્યાં છુપાયેલા છે.
તેમના સુધી પહોંચવું ખૂબ જ સરળ છે, પરંતુ અમે તેમને હમણાં મારીશું નહીં. ઘણા મીડિયા રિપોટ્ર્સ અનુસાર, અમેરિકા ઈરાનના ફોર્ડાે ન્યુક્લિયર સેન્ટર પર બંકર-બસ્ટર બોમ્બથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે.છેલ્લા ૫ દિવસ દરમિયાન ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં ૨૨૪ ઈરાનીઓ માર્યા ગયા છે, જ્યારે ૧,૪૮૧ લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન, ઇઝરાયલમાં અત્યાર સુધીમાં ૨૪ લોકો માર્યા ગયા છે, જ્યારે ૬૦૦ થી વધુ ઘાયલ થયા છે.યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર નજર રાખવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવી રહ્યું છે.
અમેરિકાએ એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં કોઈપણ અમેરિકનને ઈરાનની મુસાફરી ન કરવા જણાવ્યું છે.આ ઉપરાંત, ઇઝરાયલ અને ઇરાકની મુસાફરી કરતી વખતે પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. જો પરિસ્થિતિ વધુ વણસે તો આ ટાસ્ક ફોર્સ અમેરિકન રાજદ્વારી કર્મચારીઓ અને પશ્ચિમ એશિયા ક્ષેત્રના સામાન્ય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની રણનીતિ પર કામ કરશે.વિદેશ મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે વિદેશ નીતિનું નિયંત્રણ સંપૂર્ણપણે વ્હાઇટ હાઉસ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના હાથમાં છે.સંયુક્ત આરબ અમીરાતના વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવાની અપીલ કરી છે.
તેમણે કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે, અને જો સમયસર કંઈ કરવામાં નહીં આવે તો તે સમગ્ર પ્રદેશને અસર કરી શકે છે. તેમણે કહ્યું કે આ સંઘર્ષને ફક્ત વાતચીત અને રાજદ્વારી દ્વારા જ રોકી શકાય છે, જેથી વધુ નુકસાન ન થાય.આ પહેલા મંગળવારે રાત્રે ઈરાનના રાષ્ટ્રપતિ મહમૂદ પઝ્શ્કિયાન અને યુએઈના નેતા શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે વાતચીત થઈ હતી. યુએઈના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ આ મુશ્કેલ સમયમાં ઈરાન અને તેના લોકો સાથે ઉભા છે.નાહ્યાને એમ પણ કહ્યું કે યુએઈ સમગ્ર ક્ષેત્રમાં તણાવ ઘટાડવા અને શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોને સમર્થન આપે છે. આ માટે, તેઓ સતત તમામ પક્ષો સાથે વાત કરી રહ્યા છે.ss1