મુકુલ દેવના મૃત્યુનું કારણ સામે આવ્યું, ભાઈ રાહુલ દેવે ખુલાસો કર્યાે
મુકુલ દેવે છેલ્લાં પાંચ દિવસ કશું જ ખાધું નહોતું
એક્ટર મુકુલ દેવનું ૨૩ મેએ અચાનક જ મૃત્યુ થવાના અહેવાલોથી ઇન્ડસ્ટ્રીના લોકો અને તેના ફૅન્સને આંચકો લાગ્યો હતો
મુંબઈ,એક્ટર મુકુલ દેવનું ૨૩ મેએ અચાનક જ મૃત્યુ થવાના અહેવાલોથી ઇન્ડસ્ટ્રીના લોકો અને તેના ફૅન્સને આંચકો લાગ્યો હતો. ૫૪ વર્ષની ઉંમરે જ અચાનક મૃત્યુ થતા તેમનો પરિવાર પણ આઘાતમાં સરી પડ્યો હતો. તાજેતરમાં મુકુલ દેવના મોટા ભાઈ રાહુલ દેવે એક ઇન્ટરવ્યુમાં મુકુલ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે મુકુલના અંતિમ દિવસો ભાવનાત્મક સંઘર્ષ અને તકલીફવાળા હતા.રાહુલે જણાવ્યું કે મૃત્યુ પહેલાં આઠ દિવસ મુકુલે ઇન્ટેન્સિવ કેરમાં વિતાવ્યા હતા. રાહુલના મતે મુકુલે ખાવા-પીવાની કુટેવો પાડી હતી, તેના કારણે તેની તબિયત વધુ ખરાબ થતી ગઈ હતી, પોતાની તંદુરસ્તી પ્રત્યેની બેદરકારીને કારણે જ તે આ સ્થિતિમાં પહોંચી ગયો હતો.
છેલ્લા દિવસોમાં તો મુકુલે ખાવાનું બિલકુલ છોડી દીધું હતું. તેના કારણે તેને જીવનમાં રસ જ ઉડી ગયો હતો. તેને કામ મળતું હતું તેમ છતાં એ સતત કામને ના પાડતો રહ્યો હતો. તેને કોઈ કામમાં રસ જ નહોતો પડતો. રાહુલે દેવે જણાવ્યું, “એ સાડા આઠ દિવસ સુધી તો આઈસીયૂમાં હતો. મેડિકલ નિષ્ણાતોની દૃષ્ટિએ તો એનાં અનિયમિત જીવનને કારણે આ થયું હતું, તેણે ખાવાનું છોડી જ દીધું હતું. તેને એકલતા લાગતી હતી તેથી તેણે જીવનમાં રસ જ ગુમાવી દીધો હતો, એનામાં જિંદગી જીવવાનો ઉત્સાહ જ નહોતો રહ્યો.”મુકુલ દેવ તેના બીમાર પિતાની સંભાળ લેવા માટે ૨૦૧૯માં દિલ્હી સ્થાઇ થયા હતા, જેમનું ગયા વર્ષે નિધન થયું. ૨૦૨૩માં તેમના માતાનું પણ નિધન થયું, તેથી મુકુલ ભાવનાત્મક રીતે બિલકુલ તૂટી ગયા.
રાહુલે મુકુલના અંતિમ સંસ્કાર પછી આ વાત કબુલી હતી. ખાસ તો તેના શરીરમાં ઘટેલું વજન દેખીતી રીતે જ ઓછું થઈ રહ્યું હતું. બીજી તરફ રાહુલના પત્નીનું નિધન થઈ ગયું અને મુકુલના ડિવોર્સ થઈ ગયેલા, તેઓ બંને માતા-પિતાના ગયા પછી વધુ એકલતા અનુભવતા હતા. મુકુલે ફરી લગ્ન ન કર્યા અને પોતાની જાતને અંદર જ બંધ કરતો ગયો. રાહુલ ઇચ્છે છે કે લોકો મુકુલને તેણે જે કોમેડી રોલ કર્યાે, તે જે રીતે સારો કલાકાર હતો અને તે કોઈ સ્થળે જતાં જ જે રીતે સ્થળને ઉર્જાથી ભરી દેતો. તેનાથી તેને યાદ રાખે.ss1